વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા પાસે નવા બનતા રોડના કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદે ખન્ન !: મુખ્યમંત્રીને રજૂઆત


SHARE









ટંકારાના ઘુનડા પાસે નવા બનતા રોડના કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદે ખન્ન !: મુખ્યમંત્રીને રજૂઆત

ટંકારાથી ઘુનડા ગામને જોડતો રસ્તો બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તે દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર ત્યાં માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ જવાબદાર અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલા લેવામાં આવી રહ્યા નથી જેથી લોક જાગૃતિ મંચ દ્વારા આ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે

લોકજાગૃતિ મંચના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિજયભાઈ કુંભરવાડીયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ટંકારાથી ઘુનડા ગામને જોડતો રસ્તો બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં બેદરકારી રાખવામાં આવી રહી છે અને નબળી કક્ષાનો રોડ બનાવવામાં આવી રહયો છે આટલું જ નહી ધુનડા ગામ પાસે આવેલ રાતીધાર વિસ્તારમાંથી માટીનું ખન્ન કોઈ પણ પ્રકારની મંજૂર વગર કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને રોડની બન્ને સાઈડમાં તે માટી નાખવામાં આવી રહી છે આ અંગે સરપંચ સાથે વાતચીત કરી હતી ત્યારે સરપંચે જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની મંજૂરી માટીનું ખોદકામ કરવા માટે આપવામાં આવી નથી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને નબળી કક્ષાનું કામ કરવામાં આવી રહ્યું છે તો પણ સ્થાનિક અધિકારી આ કામગીરી સામે આંખ આડા કાન કરી રહ્યા હોય ખાણ ખનીજ વિભાગના અધિકારી તેમજ જવાબદાર બાંધકામ વિભાગના અધિકારીઓની સામે અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી માંગણી સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જોકે આગામી દિવસોમાં સરકાર દ્વારા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની સામે પગલાં લેવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે

 






Latest News