મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે સ્કૂટર સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE









મોરબીના બંધુનગર પાસે સ્કૂટર સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસેથી યુવાન પોતાનું સ્કૂટર લઈને જતો હતો ત્યારે સ્કૂટરના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું જેથી યુવાનને માથાના ભાગે ઈજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું છે.જે બનાવમાં મૃતક યુવાનની પત્નીની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં આવેલ રોયલ પાર્ક સોસાયટી વૃંદાવન એસટી ડેપોની પાછળ રહેતાં જ્યોતિબેન જીતેશભાઈ રાઠોડ (ઉંમર ૪૩) એ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે હાલમાં પોતાના મૃતક પતિની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે મૃતક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં ફરિયાદી જયોતિબેને જણાવ્યું છે કે તેના પતિ જીતેશભાઈ નાનજીભાઈ રાઠોડ (ઉમર ૪૫) સ્કૂટર લઈને તેના પિતાના ઘરે ગત તા.૭-૫ ના રોજ સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ નજીક ચામુંડા હોટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સ્કૂટર ચાલક જીતેશભાઇએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા વાહન સ્લીપ થઈ ગયું હતું. જેથી જીતેશભાઈ નાનજીભાઈ રાઠોડ નિચે પટકાવાથી માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેમનું મૃત્યુ નીપજયું હતુ. તેઓ પોતાના પિતાના ઘરે વાંકાનેર ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે અકસ્માતનો આ બનાવ બન્યો હતો જેમાં યુવાનું મોત નીપજયું છે હાલમાં મૃતક જીતેશભાઇના પત્નીની ફરિયાદ લઈને તાલુકા પીએસઆઇ આઈ.એમ. અજમેરીએ રાબેતા મુજબની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બમ્પના લીધે અકસ્માત

સુરેન્દ્રનગરના કારેલા ગામના વતની વિલાસબેન અશોકભાઈ ધાકડીયા નામની ૨૬ વર્ષીય મહિલા મોટર સાયકલમાં પાછળ બેસીને મોરબી-વાંકાનેર હાઇવે ઉપરથી જતા હતા ત્યારે મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામની પાસે રોડ ઉપર બનાવવામાં આવેલા બમ્પમાં તેઓ બાઇકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને ઈજાગ્રસ્ત થયેલા વિલાસબેન ધાકડીયાને અહીંની હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.અત્રે નોંધનીય છે કે હાઇવે, સર્વીસ રોડ તેમજ મોરબી સીટી વિસ્તાર અને સોસાયટી વિસ્તારોમાં આડેધડ કરવામાં આવેલા બમ્પ હાલ લોકો માટે ત્રાસદાયક બની ગયા છે તે નરી વાસ્તવીકતા છે.

 






Latest News