ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૦૦ લોકો બૌધ્ધ વિહાર ખાતે બોધ્ધ ધર્મ અપનાવશે


SHARE







મોરબીમાં ૧૦૦ લોકો બૌધ્ધ વિહાર ખાતે બોધ્ધ ધર્મ અપનાવશે

મોરબીના લીલાપર ગામે રહેતા સામાજીક આગેવાન તેના પરિવાર સહિતના લોકો સાથે બોધ્ધ ધર્મ અપનાવી રહ્યા છે અને આગામી દિવસોમાં બૌધ્ધ વિહાર ખાતે તેઓ બોધ્ધ ધર્મ અપનાવશે

મોરબી જીલ્લાના લીલાપર ગામના રહેવાસી ગૌતમભાઇ મકવાણા સામાજીક આગેવાન છે જે પોતે અને તેના પરીવારના સભ્યો હીન્દુ ધર્મ છોડીને બોધ્ધ ધર્મ અપનાવી રહ્યા છે. જે અંગે ગૌતમભાઇ સાથે વાતચીત કરતા જાણવા મળ્યુ છે કે, મોરબીમાં વિજયનગરમા આવેલ બૌધ્ધ વિહાર ખાતે આગામી તા.૨૭-૫ ના રોજ મોરબીના અનુસુચિત જાતિના આશરે ૧૦૦ લોકો બોધ્ધ ધર્મની દીક્ષા લઇ રહ્યા છે. વધુમાં ગૌતમભાઇ મકવાણાએ જણાવેલ છે કે તેઓ અનુસુચિત જાતીના છે જેથી તેમની સાથે જાતીગત ભેદભાવ રાખવામા આવે છે. આભડછેટ રાખવામા આવે છે.અનુસુચિત જાતીના હોવાથી અત્યાચાર કરવામાં આવે છે જેથી તેઓ તેમજ તેમનો પરીવાર બોધ્ધ ધર્મની દીક્ષા લઇ રહ્યા છે.






Latest News