વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૦૦ લોકો બૌધ્ધ વિહાર ખાતે બોધ્ધ ધર્મ અપનાવશે


SHARE









મોરબીમાં ૧૦૦ લોકો બૌધ્ધ વિહાર ખાતે બોધ્ધ ધર્મ અપનાવશે

મોરબીના લીલાપર ગામે રહેતા સામાજીક આગેવાન તેના પરિવાર સહિતના લોકો સાથે બોધ્ધ ધર્મ અપનાવી રહ્યા છે અને આગામી દિવસોમાં બૌધ્ધ વિહાર ખાતે તેઓ બોધ્ધ ધર્મ અપનાવશે

મોરબી જીલ્લાના લીલાપર ગામના રહેવાસી ગૌતમભાઇ મકવાણા સામાજીક આગેવાન છે જે પોતે અને તેના પરીવારના સભ્યો હીન્દુ ધર્મ છોડીને બોધ્ધ ધર્મ અપનાવી રહ્યા છે. જે અંગે ગૌતમભાઇ સાથે વાતચીત કરતા જાણવા મળ્યુ છે કે, મોરબીમાં વિજયનગરમા આવેલ બૌધ્ધ વિહાર ખાતે આગામી તા.૨૭-૫ ના રોજ મોરબીના અનુસુચિત જાતિના આશરે ૧૦૦ લોકો બોધ્ધ ધર્મની દીક્ષા લઇ રહ્યા છે. વધુમાં ગૌતમભાઇ મકવાણાએ જણાવેલ છે કે તેઓ અનુસુચિત જાતીના છે જેથી તેમની સાથે જાતીગત ભેદભાવ રાખવામા આવે છે. આભડછેટ રાખવામા આવે છે.અનુસુચિત જાતીના હોવાથી અત્યાચાર કરવામાં આવે છે જેથી તેઓ તેમજ તેમનો પરીવાર બોધ્ધ ધર્મની દીક્ષા લઇ રહ્યા છે.






Latest News