મોરબીમાં સાર્થક વિદ્યામંદિરનું ધો. ૧૨ સાયન્સનું ઉજ્ળું પરિણામ
મોરબીમાં માતાના સ્મરણાર્થે દીકરાએ આપ્યું જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટમાં ૫૧,૦૦૦ નું અનુદાન
SHARE
મોરબીમાં માતાના સ્મરણાર્થે દીકરાએ આપ્યું જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટમાં ૫૧,૦૦૦ નું અનુદાન
મોરબીમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાઓ કરવામાં આવી રહી છે ત્યારે વેલજીભાઈ ગોવિંદભાઈ હડીયલ અને દીનાબેન વેલજીભાઈ હડીયલ તરફથી તેમના માતા સ્વ.લાડુબેન ગોવિંદભાઈ હડીયલના સ્મરણાર્થે તેમના સુપુત્ર પુનિત વેલજીભાઈ અને પૌત્ર હર્ષિલના વરદ હસ્તે ૫૧,૦૦૦ નું અનુદાન જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટને આપવામાં આવેલ છે
મોરબીમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ફ્રી એસી ઓક્સિજન એમ્બ્યુલન્સ સેવા સતવારા જ્ઞાતિ માટે તેમજ અંતિમયાત્રા માટે ફ્રી વૈકુંઠ રથ સેવા તમામ જ્ઞાતિ માટે તેમજ મોરબી સતવારા સમાજના કોઈપણ પરિવારમાં દુઃખદ અવસાન સમયે ક્રિયાકર્મ બાદ ઘેર પરત આવે ત્યારે ફ્રી ભોજન પહોંચાડવાની સાચી "શ્રદ્ધાંજલિ સેવા" જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેમા સહભાગી થવા હડીયલ પરીવાર ૫૧,૦૦૦નું આર્થીક અનુદાન આપેલ છે તેવું જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ એન. કંઝારીયાએ જણાવ્યુ છે