મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના રોકડિયા હનુમાન પાસે કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા પાંચને ઈજા


SHARE













મોરબીના રોકડિયા હનુમાન પાસે કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા પાંચને ઈજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રોકડીયા હનુમાન મંદિરની પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા વાહન અકસ્માતમાં છ લોકોને ઇજાઓ થતાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.મોરબી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નવલખી રોડ રોકડીયા હનુમાન મંદિર પાસે થયેલા અકસ્માતના બનાવમાં ગેગુભાઈ માંગુભાઈ પરમાર (૪૦), દેરકીબેન કૈલાશભાઈ (૧૦), કાળુભાઈ ભુરાભાઈ ડાંગી (૬૦), શારદાબેન કૈલાશભાઈ સામરીયા (૩૫) અને ભજીબેન કાળુભાઈ ડાંગી (૪૦) રહે.બધા ખાખરાળાને ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વીસીપરામાં આવેલ ચાર ગોદમ પાસે રહેતા બાલાભાઈ નારણભાઈ ગઢવી નામનો ૪૮ વર્ષીય યુવાન પોતાની રિક્ષા લઈને જતો હતો ત્યારે ટ્રેક્ટરની સાથે અકસ્માત થતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના શનાળા રોડ સત્યમ પાન વાળી શેરીમાં આવેલ સાંભરની વાડી વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં ભરતભાઈ ગણેશભાઈ કંજારીયા નામના ૪૫ વર્ષીય યુવાનને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.તેમજ મોરબીના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ વિસ્તારમાં રહેતા કરણ દિલીપભાઈ પિઠડીયા નામના ૨૪ વર્ષીય યુવાને શહેરના સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ નજીક મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને મોરબી વીસીપરામાં રહેતા શબ્બીર દાઉદભાઇ સુમાણીયા નામના ૩૬ વર્ષીય યુવાનને મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ બગીચા નજીક મારામારીના બનાવમાં ઇજા થતાં તેને પણ સારવાર માટે ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી વીસીપરામાં રહેતા વાલાભાઇ નારણભાઇ ગઢવી નામના ૪૮ વર્ષીય યુવાનને ટંકારા ચોકડી પાસે વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના હળવદ રોડ ઉપર મહેન્દ્રનગર પાસે આવેલ ઉમા રેસિડેન્સીમાં રહેતા શરદભાઇ જીવરાજભાઈ વડગાસીયા નામના ૫૨ વર્ષીય આધેડે કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે સમર્પણ હોસ્પિટલ ખસેડાયા હતા અને બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના જીજ્ઞાશાબેન કણસાગરાએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.








Latest News