મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર
Breaking news
Morbi Today

મોરબીના રોકડિયા હનુમાન પાસે કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા પાંચને ઈજા


SHARE













મોરબીના રોકડિયા હનુમાન પાસે કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા પાંચને ઈજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રોકડીયા હનુમાન મંદિરની પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા વાહન અકસ્માતમાં છ લોકોને ઇજાઓ થતાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.મોરબી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નવલખી રોડ રોકડીયા હનુમાન મંદિર પાસે થયેલા અકસ્માતના બનાવમાં ગેગુભાઈ માંગુભાઈ પરમાર (૪૦), દેરકીબેન કૈલાશભાઈ (૧૦), કાળુભાઈ ભુરાભાઈ ડાંગી (૬૦), શારદાબેન કૈલાશભાઈ સામરીયા (૩૫) અને ભજીબેન કાળુભાઈ ડાંગી (૪૦) રહે.બધા ખાખરાળાને ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વીસીપરામાં આવેલ ચાર ગોદમ પાસે રહેતા બાલાભાઈ નારણભાઈ ગઢવી નામનો ૪૮ વર્ષીય યુવાન પોતાની રિક્ષા લઈને જતો હતો ત્યારે ટ્રેક્ટરની સાથે અકસ્માત થતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના શનાળા રોડ સત્યમ પાન વાળી શેરીમાં આવેલ સાંભરની વાડી વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં ભરતભાઈ ગણેશભાઈ કંજારીયા નામના ૪૫ વર્ષીય યુવાનને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.તેમજ મોરબીના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ વિસ્તારમાં રહેતા કરણ દિલીપભાઈ પિઠડીયા નામના ૨૪ વર્ષીય યુવાને શહેરના સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ નજીક મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને મોરબી વીસીપરામાં રહેતા શબ્બીર દાઉદભાઇ સુમાણીયા નામના ૩૬ વર્ષીય યુવાનને મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ બગીચા નજીક મારામારીના બનાવમાં ઇજા થતાં તેને પણ સારવાર માટે ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી વીસીપરામાં રહેતા વાલાભાઇ નારણભાઇ ગઢવી નામના ૪૮ વર્ષીય યુવાનને ટંકારા ચોકડી પાસે વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના હળવદ રોડ ઉપર મહેન્દ્રનગર પાસે આવેલ ઉમા રેસિડેન્સીમાં રહેતા શરદભાઇ જીવરાજભાઈ વડગાસીયા નામના ૫૨ વર્ષીય આધેડે કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે સમર્પણ હોસ્પિટલ ખસેડાયા હતા અને બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના જીજ્ઞાશાબેન કણસાગરાએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.






Latest News