મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

મોરબીના રોકડિયા હનુમાન પાસે કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા પાંચને ઈજા


SHARE









મોરબીના રોકડિયા હનુમાન પાસે કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા પાંચને ઈજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રોકડીયા હનુમાન મંદિરની પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા વાહન અકસ્માતમાં છ લોકોને ઇજાઓ થતાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.મોરબી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નવલખી રોડ રોકડીયા હનુમાન મંદિર પાસે થયેલા અકસ્માતના બનાવમાં ગેગુભાઈ માંગુભાઈ પરમાર (૪૦), દેરકીબેન કૈલાશભાઈ (૧૦), કાળુભાઈ ભુરાભાઈ ડાંગી (૬૦), શારદાબેન કૈલાશભાઈ સામરીયા (૩૫) અને ભજીબેન કાળુભાઈ ડાંગી (૪૦) રહે.બધા ખાખરાળાને ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વીસીપરામાં આવેલ ચાર ગોદમ પાસે રહેતા બાલાભાઈ નારણભાઈ ગઢવી નામનો ૪૮ વર્ષીય યુવાન પોતાની રિક્ષા લઈને જતો હતો ત્યારે ટ્રેક્ટરની સાથે અકસ્માત થતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના શનાળા રોડ સત્યમ પાન વાળી શેરીમાં આવેલ સાંભરની વાડી વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં ભરતભાઈ ગણેશભાઈ કંજારીયા નામના ૪૫ વર્ષીય યુવાનને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.તેમજ મોરબીના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ વિસ્તારમાં રહેતા કરણ દિલીપભાઈ પિઠડીયા નામના ૨૪ વર્ષીય યુવાને શહેરના સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ નજીક મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને મોરબી વીસીપરામાં રહેતા શબ્બીર દાઉદભાઇ સુમાણીયા નામના ૩૬ વર્ષીય યુવાનને મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ બગીચા નજીક મારામારીના બનાવમાં ઇજા થતાં તેને પણ સારવાર માટે ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી વીસીપરામાં રહેતા વાલાભાઇ નારણભાઇ ગઢવી નામના ૪૮ વર્ષીય યુવાનને ટંકારા ચોકડી પાસે વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના હળવદ રોડ ઉપર મહેન્દ્રનગર પાસે આવેલ ઉમા રેસિડેન્સીમાં રહેતા શરદભાઇ જીવરાજભાઈ વડગાસીયા નામના ૫૨ વર્ષીય આધેડે કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે સમર્પણ હોસ્પિટલ ખસેડાયા હતા અને બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના જીજ્ઞાશાબેન કણસાગરાએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.






Latest News