મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી : હળવદમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતા ૧૨ લોકોના મોતના બનાવમાં જવાબદારો સામે પગલા લેવા જિલ્લા કોગ્રેસની માંગ


SHARE







મોરબી : હળવદમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતા ૧૨ લોકોના મોતના બનાવમાં જવાબદારો સામે પગલા લેવા જિલ્લા કોગ્રેસની માંગ

મોરબી જિલ્લાના હળવદ મુકામે દુઃખદ ઘટના બની હતી જેમા જીઆઇડીસીમાં આવેલ મીઠાના કારખાનામાં આશરે ૬૦ ફૂટની દીવાલ કોઇપણ જાતના આઘાર કે બીમ કોલમ વગરની દીવાલ હોવાથી અચાનક ઘસી પડતા યુનીટમાં મીઠાના પેકીંગનું કામ કરતા શ્રમજીવી પરિવારના બાળકો સહિત મહિલા-પુરુષ મળીને ૧૨ વ્યક્તિઓના મોત થયા છે અને અમુકને નાનીમોટી ઇજાઓ થઇ હતી. ત્યારે  મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે.પટેલની આગેવાનીમાં હળવદ શહેર પ્રમુખ શેલૈષભાઈ દવે, તાલુકા પ્રમુખ રાણા,  હેમાંગભાઈ રાવલ, જટુભા તેમજ પી.પી.બાવારવા, અશ્વિનભાઇ વિડજા અને મહેશભાઇ રાજ્યગુરૂ વગેરે આગેવાનો સ્થળ ઉપર દોડી ગયા હતા અને બનાવના સ્થળે પહોંચી ભોગ બનેલ પરીવારોને સાંત્વના પાઠવી હતી તેમજ ઇજાગ્રસ્તોની હોસ્પિટલ જઇને રૂબરૂ મુલાકાત કરી હતી અને મુતકના પરિવારજનોને રૂબરૂ મળી દિલસોજી પાઠવીને માનવ સર્જિત બેદરકારીની તપાસ કરી જવાબદાર સામે  કડક કાર્યવાહી કરવાની માંગણી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે તેમ જિલ્લા કોંગ્રેસે યાદીમાં જણાવેલ છે.






Latest News