મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ પાસે ત્રીજા માળેથી પટકાયેલા યુવકનું મોત


SHARE







 મોરબીના ઉંચી માંડલ પાસે ત્રીજા માળેથી પટકાયેલા યુવકનું મોત

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલા ઉચી માંડલ ગામ પાસેના સિરામિકના લેબર કવાટરમાં રહીને મજૂરીકામ કરતો યુવાન ત્રીજા માળેથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નિપજતા મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જેથી કરીને બનાવની જાણ થતા હાલમાં તાલુકા પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી-હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેના એરોન સીરામીક નામના યુનિટમાં લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા રાજુભાઈ મોતીભાઈ પટેલ નામનો ૩૫ વર્ષીય યુવાન તા.૨૩ ના રાતના એકાદ વાગ્યાના અરસામાં અકસ્માતે લેબર કવાટરમાં ત્રીજા માળેથી નીચે પડી ગયો હતો.જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજતાં ડેડબોડીને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું અને બનાવની જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા બનાવ અકસ્માતે મોતનો જ છે કે અન્ય કોઇ બાબત છે તે દીશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેના એકવીલ સિરામીક નામના યુનિટ પાસે રહીને ત્યાં મજૂરી કામ કરતાં રાજુસિંગ સુબેરસિંગ ગુર્જર નામના ૨૬ વર્ષીય યુવાનને હળવદ રોડ ઉપર મારામારીમાં ઇજાઓ થઈ હતી જ્યાં માર માર્યા બાદ તેને ગાડીમાં બેસાડીને શનાળા લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં આગળ શનાળા ગામ પાસે માર મારીને ઉતારી દેવામાં આવ્યો હતો..?! આ મારામારીનાં બનાવ અંગે હાલમાં તાલુકા પોલીસમાં જાણ થતાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે.જ્યારે મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસેના સોમનાથ સિરામિકમાં રહીને મજૂરીકામ કરતા હંસાબેન ભાવેશભાઈ મકવાણા નામની ૪૦ વર્ષીય મહિલાને તેના પતિ દ્વારા માર મારવામાં આવતા તેણીને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તે અંગે તાલુકા પોલીસે નોંધ કરી છે અને બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News