મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા પાસે બાઇક આડે નીલગાય ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત


SHARE













વાંકાનેરના જાલીડા પાસે બાઇક આડે નીલગાય ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના જાલીડા ગામથી આગળના ભાગમાં નેશનલ હાઈવે ઉપરથી પસાર થતાં બાઇકચાલકના બાઈકની આડે નીલગાય ઉતરતા અકસ્માત સર્જાયો હતો અને યુવાનને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ભલગામ નવાપરા ખાતે રહેતા ભરતભાઈ કમલેશભાઈ વાળા (ઉમર ૩૭) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ જે ૧૨૫૫ લઈને જાલીડાથી આગળના ભાગમાં નેશનલ હાઈવે રોડ ઉપર તા. ૨૯ ના રોજ સાંજે આઠ વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈક આડે નીલગાય ઉતરી હતી જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતના બનાવવા બાઇકચાલક ભરતભાઈ વાળાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતથી મૃત્યુના આ બનાવમાં મૃતક યુવાનના પિતા કમલેશભાઈ રામાભાઇ ડેંગડા (૫૫)ની ફરિયાદ લઈને વાંકાનેર તાલુકા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બે યુવાનને માર માર્યો

મોરબી તાલુકાનાં મકનસર પાસે આવેલા તનમેરા સિરામિકમાં મારા મારિનો બનાવ બનેલ હતો જેમાં વિરેન્દ્ર ક્રિષ્ના શાહ (૨૩) અને મોહિત રૂબેન શાહ (૨૦)ને છ શખ્સોએ સળિયા વડે માર અમર્યો હતો જેથી તેને મોરબીમાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવેલ છે અને આ મુદે ઇજાગ્રસ્તના ભાઈ મુકેશભાઇ સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, કારખાનામાં બેઠા હતા ત્યારે નજીવી વાતમાં મારા મારી થયેલ છે હાલમાં મોરબી તાલુકા પોલીન્સે બનાવની જાણ કરવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

ઝેરી દાવ પી લેતા સારવારમાં

મોરબીના અજંતા વિનયક પાર્કમાં રહેતા સંજયભાઈ ભૂપતભાઇ નાયક (૨૩)એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી છે જેથી કરીને તેને પ્રથમ મોરબીમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવેલ છે અને રાજકોટથી મોરબી પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News