મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા પાસે બાઇક આડે નીલગાય ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત


SHARE











વાંકાનેરના જાલીડા પાસે બાઇક આડે નીલગાય ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના જાલીડા ગામથી આગળના ભાગમાં નેશનલ હાઈવે ઉપરથી પસાર થતાં બાઇકચાલકના બાઈકની આડે નીલગાય ઉતરતા અકસ્માત સર્જાયો હતો અને યુવાનને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ભલગામ નવાપરા ખાતે રહેતા ભરતભાઈ કમલેશભાઈ વાળા (ઉમર ૩૭) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ જે ૧૨૫૫ લઈને જાલીડાથી આગળના ભાગમાં નેશનલ હાઈવે રોડ ઉપર તા. ૨૯ ના રોજ સાંજે આઠ વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈક આડે નીલગાય ઉતરી હતી જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતના બનાવવા બાઇકચાલક ભરતભાઈ વાળાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતથી મૃત્યુના આ બનાવમાં મૃતક યુવાનના પિતા કમલેશભાઈ રામાભાઇ ડેંગડા (૫૫)ની ફરિયાદ લઈને વાંકાનેર તાલુકા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બે યુવાનને માર માર્યો

મોરબી તાલુકાનાં મકનસર પાસે આવેલા તનમેરા સિરામિકમાં મારા મારિનો બનાવ બનેલ હતો જેમાં વિરેન્દ્ર ક્રિષ્ના શાહ (૨૩) અને મોહિત રૂબેન શાહ (૨૦)ને છ શખ્સોએ સળિયા વડે માર અમર્યો હતો જેથી તેને મોરબીમાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવેલ છે અને આ મુદે ઇજાગ્રસ્તના ભાઈ મુકેશભાઇ સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, કારખાનામાં બેઠા હતા ત્યારે નજીવી વાતમાં મારા મારી થયેલ છે હાલમાં મોરબી તાલુકા પોલીન્સે બનાવની જાણ કરવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

ઝેરી દાવ પી લેતા સારવારમાં

મોરબીના અજંતા વિનયક પાર્કમાં રહેતા સંજયભાઈ ભૂપતભાઇ નાયક (૨૩)એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી છે જેથી કરીને તેને પ્રથમ મોરબીમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવેલ છે અને રાજકોટથી મોરબી પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News