મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદમાં ગેરકાયદે બાંધકામનો રાફળો: અધિકારી મૌન રહેતા હાઇકોર્ટમાં જવાની ઉચ્ચારી ચિમકી 


SHARE







હળવદમાં ગેરકાયદે બાંધકામનો રાફળો: અધિકારી મૌન રહેતા હાઇકોર્ટમાં જવાની ઉચ્ચારી ચિમકી 

હળવદમાં વર્ષોથી ગેરકાયદે નવા કોમ્પલેક્ષશોપિંગસેન્ટરો સહિત બિલ્ડિંગના બાંધકામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યા છે અને બાંધકામ વિભાગના નિયમોનો ઉલાળિયો કરવામાં આવી રહ્યો છે તો પણ જવાબદાર અધિકારી દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી તે સૌથી મોટો સવાલ છે હાલમાં હળવદના મેઈન રોડ પર આવેલ ઢવાણીયા દાદાના મદીર પાસે આવેલ કોમ્પલેક્ષના કોઈ રેકોર્ડ પાલીકા પાસે નથી  પણ તેમ છતા પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કેમ કરવામાં આવેલ નથી તે સૌથી મોટો સવાલ છે 

હળવદના જાગૃત નાગરિક ઈશ્વરભાઈ પરમાર દ્વારા ૩૦/૧૨/૨૦૨૧ નાં રોજ હળવદ નગરપાલિકામા આરટીઆઈ કરવામાં આવી હતી જેના સ્થાનિક અધિકારી પાસેથી કોઈ સંતોષકારક જવાબ મળેલ ન હતો જેથી કરીને પ્રાદેશિક કચેરી વર્ગ-૧ રાજકોટમાં પ્રથમ અપીલ દાખલ કરી હતી અને અરજદાર અને ચીફ ઓફિસરને સુનાવણી માટે તા૧૫/૩/૨૦૨૨ના રોજ રુબરુ બોલાવ્યા હતા અને ૧૫ દિવસમાં માહિતી આપવા હુકમ કર્યો હતો જે  હુકમ અન્વયે પાલીકાએ જવાબ આપતા તા૧૩/૪/૨૦૨૨ ના પત્રથી અરજદારને કહ્યું હતું કે, આવું કોમ્પલેક્ષ અમારા રેકોર્ડમાં નથી આથી અરજદારે ૨૦/૪/૨૦૨૨ નાં રોજ કલેક્ટરમામલતદાર,જિલ્લા સેવા સદનરાજકોટ પાદેશીક કમીશ્નરને હળવદ પાલીકા તમામ જગ્યાએ અરજી કરીને ગેરકાયદે બાંધકામ હટાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે અને દબાણ કરનારાઓની સામે પગલાં લેવામાં આવે તેવી માગ કરી હતી પરંતુ અફસોસ કે આજ સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી હવે આ મુદે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી અરજદારે ઉચ્ચારી છે 






Latest News