મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલનું ધરમૂળથી રીનોવેશન કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ


SHARE











મોરબીના ઝૂલતા પુલનું ધરમૂળથી રીનોવેશન કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ

સતત દસ વર્ષ સુધી ઝૂલતા પુલની સફરનો નિરંતર લોકોએ આનંદ માણ્યા બાદ ઝૂલતા પુલમાં રીનોવેશનની જરુરત હતી જેથી કરીને ઝૂલતા પુલને ખોલીને ધરમૂળથી રીનોવેશનની કામગીરી અજંતા- ઓરેવા ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવી છે

ઓરેવા ગ્રુપના દીપકભાઈ પારેખે જણાવ્યા મુજબ મોરબીના લોકો ઐતિહાસિક ઝૂલતા પુલનો આનંદ નિરંતર અને લાંબા ગાળા સુધી માણી શકે તે માટે જીન્દાલ એલ્યુમિનિયમ તેમજ હિન્ડાલ્કો (બિરલા ગ્રુપ) જેવી કંપનીનો સંપર્ક કરીને તેમની પાસે ખાસ સ્પેશીયલ ગ્રેડનુ મટીરીયલ તૈયાર કરાવાઈ રહયુ છે. અને ઝૂલતા પૂલને વધુ મજબૂત બનાવવા ઓરેવા ગ્રુપ અને ફેબ્રીકેટરની ટીમ દ્વારા આશરે એક મહિનો આર એન્ડ ડી કરવામાં આવ્યું હતું અને ઝુલતા પુલના રીનોવેશનનો અંદાજીત ખર્ચ આશરે બે કરોડ રૂપિયા આવશે. આ ઝૂલતા પુલને ખોલીને રીનોવેશન કરવાની કામગીરી આશરે ૪ થી ૫ માસ ચાલશે અને ત્યાર બાદ ઐતીહાસીક ઝૂલતા પુલને જનતા માટે ફરી ખુલ્લો મુકાશે. અગાઉ પણ ઓરેવા ગ્રુપના સુંદર સંચાલન થકી ઝુલતો પુલ સતત ૧૦ વર્ષ સુધી નિરંતર ચાલુ રહ્યો હતો અને હાલ થઈ રહેલ રીનોવેશન પણ ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય તે માટે ઓરેવા ગ્રુપ પ્રયત્નશીલ છે 






Latest News