મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં કામ ધંધો બરોબર ન ચાલતો હોવાથી યુવાને અંતિમ પગલુ ભરી લેતા મોત


SHARE







 

મોરબીમાં કામ ધંધો બરોબર ન ચાલતો હોવાથી યુવાને અંતિમ પગલુ ભરી લેતા મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટાટા મોટરના શોરૂમની બાજુમાં રહેતા યુવાને કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટાટા મોટરના નવા શોરૂમની બાજુમાં આવેલા વિનાયક ફાર્મ હાઉસની પાસે અજય નરવતભાઈ નાયક (ઉમર ૨૩) નામના યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું. બાદમાં તેના મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મૃતકના ભાઈ નિલેશે પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.હાલમાં આ બનાવની તપાસ કરી રહેલા અધિકારી પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવાન ઘરમાં સૌથી મોટો હતો અને ઘરની જવાબદારી તેના ઉપર હતી જોકે, કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી તેણે ઝેરી દવા પી લીધી હતી અને તેનું મોત નિપજ્યું છે.

મારામારીમાં ઇજા

મોરબીના સબ જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ વશરામભાઈ સાવરીયા નામના ૪૨ વર્ષીય યુવાનને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના ટંકારા તાલુકાના મિતાણા ગામે રહેતા બાબુભાઈ માનાભાઇ બસીયાને મીતાણા-નેકનામ હાઇવે ઉપર જતા સમયે ત્યાં મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેમને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના સુસવાવ ગામનો રહેવાસી રાકેશભાઈ શિવરાજભાઈ રામાવત નામનો ૩૬ વર્ષીય યુવાન સુસવાવથી બાઈક લઈને ઘાંટીલા જતો હતો ત્યારે રસ્તામાં દેવળીયા ચોકડી પાસે તેનું બાઈક અન્ય બાઈક સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઈજા થતાં રાકેશ રામાવતને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.






Latest News