હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કામ ધંધો બરોબર ન ચાલતો હોવાથી યુવાને અંતિમ પગલુ ભરી લેતા મોત


SHARE











 

મોરબીમાં કામ ધંધો બરોબર ન ચાલતો હોવાથી યુવાને અંતિમ પગલુ ભરી લેતા મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટાટા મોટરના શોરૂમની બાજુમાં રહેતા યુવાને કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટાટા મોટરના નવા શોરૂમની બાજુમાં આવેલા વિનાયક ફાર્મ હાઉસની પાસે અજય નરવતભાઈ નાયક (ઉમર ૨૩) નામના યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું. બાદમાં તેના મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મૃતકના ભાઈ નિલેશે પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.હાલમાં આ બનાવની તપાસ કરી રહેલા અધિકારી પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવાન ઘરમાં સૌથી મોટો હતો અને ઘરની જવાબદારી તેના ઉપર હતી જોકે, કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી તેણે ઝેરી દવા પી લીધી હતી અને તેનું મોત નિપજ્યું છે.

મારામારીમાં ઇજા

મોરબીના સબ જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ વશરામભાઈ સાવરીયા નામના ૪૨ વર્ષીય યુવાનને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના ટંકારા તાલુકાના મિતાણા ગામે રહેતા બાબુભાઈ માનાભાઇ બસીયાને મીતાણા-નેકનામ હાઇવે ઉપર જતા સમયે ત્યાં મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેમને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના સુસવાવ ગામનો રહેવાસી રાકેશભાઈ શિવરાજભાઈ રામાવત નામનો ૩૬ વર્ષીય યુવાન સુસવાવથી બાઈક લઈને ઘાંટીલા જતો હતો ત્યારે રસ્તામાં દેવળીયા ચોકડી પાસે તેનું બાઈક અન્ય બાઈક સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઈજા થતાં રાકેશ રામાવતને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.






Latest News