વાંકાનેર નજીક આવેલા મારુતિના શોરૂમ પાછળથી દારૂની ૧૨ બોટલ સાથે એક પકડાયો
મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઇએ ઝંડી આપીને સાયક્લોથોનનું કરાવ્યુ પ્રસ્થાન
SHARE









મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઇએ ઝંડી આપીને સાયક્લોથોનનું કરાવ્યુ પ્રસ્થાન
અંગ દાન મહાદાન અભિયાન અંતર્ગત મોરબીમાં નગરપાલિકા તેમજ ખાનગી ન્યૂઝના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સાયક્લોથોનનું પ્રસ્થાન રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા દ્વારા કરવામાં આવ્યું હતું. અને મોરબીના ટાઉનહોલ ખાતેથી સાયક્લોથોન વસંત પ્લોટ, રવાપર રોડ, નરસંગ ટેકરી મંદિર, રવાપર ચોકડી થઈને ઉમિયા સર્કલ પહોંચી હતી બાદમાં શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ, રામ ચોક સહિતના વિસ્તારમાં ફરીને નગરપાલિકા કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ તકે મંત્રી ઉપરાંત ઇન્ચાર્જ અધિક કલેકટર અને મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તથા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, મોરબી પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, અંબારામભાઈ કવાડીયા સહિતના આગેવાનો તેમજ બાળકો, યુવાનો અને વૃદ્ધોએ પણ તેમાં ભાગ લીધો હતો
