મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે બે મકાનમાંથી રોકડ-દાગીના મળીને ૮૦,૫૦૦ ના મુદામાલની ચોરી


SHARE







હળવદના ચરાડવા ગામે બે મકાનમાંથી રોકડ-દાગીના મળીને ૮૦,૫૦૦ ના મુદામાલની ચોરી

હળવદ તાલુકાના ચરાડવા ગામે બે રહેણાંક મકાનની અંદર ચોરી કરવામાં આવી હોવાની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ છે અને તસ્કરો ૮૦,૫૦૦ નો મુદામાલ ચોરી કરી ગયા છે જેથી પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે હાલમાં આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેણાંક મકાનમાં ચોરી કરવા માટે આવેલા શખ્સને ગઈકાલે સ્થાનિક લોકો દ્વારા પકડીને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો ત્યાર બાદ હાલમાં ચરાડવામાં બે મકાનની અંદર ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાઈ છે જેમાં ચરાડવા ગામે રહેતા અને ખેતીનું કામ કરતાં રમણીકભાઈ ધનજીભાઈ સોનાગ્રા (૩૨) એ જણાવ્યુ છે કે, ગત તા. ૧૮/૫ ના રાત્રિના એક વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના ચાર વાગ્યા સુધીમાં તેઓના ઘરની અંદર દરવાજાના તાળા તોડીને તસ્કરે પ્રવેશ કર્યો હતો અને કબાટના તાળા તોડીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને તેઓના ઘરમાંથી તેમજ તેની બાજુના અન્ય એક વ્યક્તિના ઘરમાંથી કુલ મળીને ૩૦,૫૦૦ રૂપિયા અને ૪૭૦૦૦ ના સોના-ચાંદીના દાગીના આમ કુલ મળીને ૮૦૫૦૦ ના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબી શહેરના ત્રાજપર પાસે આવેલી યોગીનગરમાં બે શખ્સો દ્વારા નિસીત રાઘવજીભાઇ વરાણીયા રહે. ઘુટુ રોડ સિલ્વર પાર્ક વાળાને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને મારામારીના બનાવમાં ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને મારામારીના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News