મોરબીની અવની ચોકડી પાસે એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી નીચે પટકાતાં મજૂર યુવાનનું મોત
હળવદના રણછોડગઢ ગામની સીમમાંથી પરિણીતા તેના સંતાન સાથે ગુમ
SHARE








હળવદના રણછોડગઢ ગામની સીમમાંથી પરિણીતા તેના સંતાન સાથે ગુમ
હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાંથી પરિણીતા તેના નવ વર્ષના દીકરા સાથે ગુમ થઈ ગયેલ છે જેને શોધવા છતાં પણ તેનો પત્તો નહી લાગતાં હાલમાં મહિલાના પતિ દ્વારા હળવદ તાલુકા પોલીસ ખાતે તેની પત્ની અને પુત્ર ગુમ થયું હોવા અંગેની ફરિયાદ કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને હાલમાં પરિણીતા અને બાળકને શોધવા માટે થઇને જુદી દિશામાં તપાસ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા રણછોડગઢ ગામે રહેતા અને ખેતરમાં મજૂરી કામ કરતા ધીરૂભાઈ માનસિંગભાઈ દઢૈચા જાતે કોળી (ઉમર ૪૦) ના પત્ની નીતાબેન ઉર્ફે ટમીબેન ધીરૂભાઈ દઢૈચા (ઉંમર ૩૮) અને તેમનો દીકરો શૈલેષ ધીરૂભાઈ દઢૈચા (ઉંમર ૯) બંને રણછોડગઢ ગામે આવેલ તેમની વાડીએથી ગત તા.૮-૭ ના રોજ રાત્રીના સમયે નીકળી ગયેલ છે અને તેમને શોધવા છતાં પણ કોઇ જગ્યાએથી તેઓનો પત્તો લાગેલ નથી જેથી કરીને હાલમાં ધીરૂભાઈએ તેની પત્ની નીતાબેન અને પુત્ર શૈલેષ ગુમ થયા હોવા અંગેની ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે જેથી કરીને હળવદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એ.એમ.ઝાપડીયાએ હાલમાં પરિણીતા અને બાળકને શોધવા માટે જુદીજુદી દિશાઓમાં તપાસ શરૂ કરેલ છે.
પરણિતા સારવારમાં
મોરબીના ભાવનાબેન ભરતભાઈ ભાંભી રહે.રાજકોટ નામની પરિણીતાને તેમી સાસરીમાં તેના પતિએ માર મારતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે તપાસ હાથ ધરી છે.જ્યારે હળવદ તાલુકાના દેવળીયા ગામે રહેતા જમકુબેન સુકમાભાઇ નાયક નામની ૨૦ વર્ષીય મહિલાએ વાડીએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતા તેણીને પણ સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
