મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જુના રફાળેશ્વર રોડે કારખાનાના ગોડાઉનમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE











મોરબીના જુના રફાળેશ્વર રોડે કારખાનાના ગોડાઉનમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ સિરામિક કારખાના ગોડાઉનની અંદર ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર લાલપર ગામની સીમમાં આવેલ મીટકો સિરામિક નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતાં પ્રદીપભાઈ મગનભાઈ કોસરા જાતે પટેલ (ઉંમર ૨૧)એ કારખાના ગોડાઉન ની અંદર પ્લાસ્ટિકની દોરી પટ્ટી સાથે બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને મૃતક યુવાનના પિતા મગનભાઈ વાઘજીભાઈ કોસરા જાતે પટેલ (ઉંમર ૪૫) એ જાણ કરી હતી જેથી કરીને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે

વૃદ્ધનું મોત

વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારની અંદર રહેતા ઉમરભાઈ હસનભાઈ કુરેશી (ઉંમર ૬૫) પોતાના ઘરે સૂતા હતા ત્યારબાદ તે ઉઠ્યા ન હતા જેથી તેને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને આ આંગેની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News