મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં દેણું વધી જતાં પતિએ ઘર છોડી દેતા ટેન્શનમાં આવી ગયેલ પત્નીએ કર્યો આપઘાત


SHARE







મોરબીમાં દેણું વધી જતાં પતિએ ઘર છોડી દેતા ટેન્શનમાં આવી ગયેલ પત્નીએ કર્યો આપઘાત

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે પ્લોટિંગ એરિયામાં રહેતા યુવાને નોકરી છોડી દીધી હતી અને તેના ઉપર દેણું થઈ ગયું હોવાથી તે છેલ્લા બે દિવસથી ઘરેથી નીકળી ગયો હતો જેથી કરીને ટેન્શનમાં આવી ગયેલ તેની પત્નીએ તેના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે પ્લોટીંગ એરિયામાં રહેતા મનીષભાઈના પત્ની શીતલબેન (ઉંમર ૩૨)એ પોતાની જાતે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. અને આ બનાવની આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ પી.જે. પરમાર ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતાં તેને જણાવ્યુ છે હતું કે મૃતક મહિલાના પતિ આઇડીબીઈ બેંકમાં નોકરી કરતાં હતા અને બે મહિના પહેલા તેને નોકરી છોડી દીધી હતી અને તેના ઉપર દેણું થઈ ગયું હોવાથી તે છેલ્લા બે દિવસથી ઘરેથી નીકળી ગયો હતો જો કે, તે તેના પત્નીના સંપર્કમાં હતો પરંતુ ટેન્શનમાં આવી ગયેલ યુવાનની પત્નીએ તેના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે

જુગારી પકડ્યો

મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ શિવ સોસાયટી પાસે સાયન્ટીફિક વાડી રોડ તરફ જવાના રસ્તા ઉપર વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે મહંમદભાઈ મુસાભાઇ ભટ્ટી જાતે વાઘેર (ઉમર ૩૭) રહે. શિવ સોસાયટી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૬૪૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News