ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં દેણું વધી જતાં પતિએ ઘર છોડી દેતા ટેન્શનમાં આવી ગયેલ પત્નીએ કર્યો આપઘાત


SHARE













મોરબીમાં દેણું વધી જતાં પતિએ ઘર છોડી દેતા ટેન્શનમાં આવી ગયેલ પત્નીએ કર્યો આપઘાત

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે પ્લોટિંગ એરિયામાં રહેતા યુવાને નોકરી છોડી દીધી હતી અને તેના ઉપર દેણું થઈ ગયું હોવાથી તે છેલ્લા બે દિવસથી ઘરેથી નીકળી ગયો હતો જેથી કરીને ટેન્શનમાં આવી ગયેલ તેની પત્નીએ તેના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે પ્લોટીંગ એરિયામાં રહેતા મનીષભાઈના પત્ની શીતલબેન (ઉંમર ૩૨)એ પોતાની જાતે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. અને આ બનાવની આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ પી.જે. પરમાર ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતાં તેને જણાવ્યુ છે હતું કે મૃતક મહિલાના પતિ આઇડીબીઈ બેંકમાં નોકરી કરતાં હતા અને બે મહિના પહેલા તેને નોકરી છોડી દીધી હતી અને તેના ઉપર દેણું થઈ ગયું હોવાથી તે છેલ્લા બે દિવસથી ઘરેથી નીકળી ગયો હતો જો કે, તે તેના પત્નીના સંપર્કમાં હતો પરંતુ ટેન્શનમાં આવી ગયેલ યુવાનની પત્નીએ તેના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે

જુગારી પકડ્યો

મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ શિવ સોસાયટી પાસે સાયન્ટીફિક વાડી રોડ તરફ જવાના રસ્તા ઉપર વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે મહંમદભાઈ મુસાભાઇ ભટ્ટી જાતે વાઘેર (ઉમર ૩૭) રહે. શિવ સોસાયટી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૬૪૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News