તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા મોરબીની પીપળીયા ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ, ગુનો નોંધાતા તપાસ શરૂ મોરબીના બેલા નજીક અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબી: ઝાડા ઉલટી થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં મોરબીના કાર્યકર્તાઓએ હાજર રહ્યા કચ્છથી મોરબી આવેલ બોલેરો ગાડીમાં ગૌવંશ હોવાની બાતમી આધારે વાહન ચેક કરવા ગયેલ ગૌરક્ષકો ઉપર ખાટકીવાસમાં ધોકા, પાઇપ અને તિક્ષણ હથિયાર વડે હુમલો મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર ગામે માતાની સ્મૃતિમાં ૧૫૦૦ વૃક્ષોનું એક્સલ સિરામિક ગ્રુપ દ્વારા વાવેતર


SHARE















મોરબીના ચાંચાપર ગામે માતાની સ્મૃતિમાં ૧૫૦૦ વૃક્ષોનું એક્સલ સિરામિક ગ્રુપ દ્વારા વાવેતર

મોરબી તાલુકાના ચાંચાપર ગામે ઉદ્યોગપતિ દ્વારા પોતાની માતાની સ્મૃતિમાં ૧૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરીને ગામમાં ઓક્સિજન પાર્ક બનાવવા માટે થઈને કવાયત કરવામાં આવી છે અને સમગ્ર ભાલોડીયા પરિવાર દ્વારા આ માટે થઈને આર્થિક સહયોગ આપવામાં આવતા ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા ભીલોડીયા પરીવારની ગામ પ્રત્યેની લાગણીને બિરદાવવામાં આવી છે 

સામાન્ય રીતે ચોમાસા પૂર્વે ગામોગામ વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે જોકે થોડા સમય પહેલા આવેલ કોરોનાની બીજી વેવ દરમ્યાન ઓક્સિજનની અછત ઊભી થઈ હતી અને ઓક્સિજનના અભાવના કારણે ઘણાં લોકોના મૃત્યુ હોય તેવું ગુજરાત અને દેશની અંદર જોવા મળ્યો હતો ત્યારે ગામોગામ હવે ઓક્સિજન પાર્ક કરવા માટે થઈને લોકો દ્વારા કવાયત કરવામાં આવી રહી છે ત્યારે મોરબી તાલુકાના ચાંચાપર ગામના રહેવાસી અને મકનસર નજીક  એક્સેલ સિરામિક ધરાવતા એક્સલ ગ્રુપવાળા સ્વ.વજીબેન જેઠાભાઈની શ્રદ્ધાંજલિ કાયમી યાદ રહે તે માટે થઈને જેઠાભાઈ રવજીભાઈ ભાલોડીયા અને તેમના દીકરા સુરેશભાઈ તેમજ અશોકભાઈ અને તેમના પરિવારજનો દ્વારા પોતાના ગામમાં ૧૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવા માટે થઈને સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેના માટેનો આર્થિક સંપૂર્ણ ખર્ચ એકસેલ ગ્રુપ તરફથી આપવામાં આવી રહ્યો છે ત્યારે આ કામગીરીને ગામના સરપંચ ભુદરભાઇ ભાલોડીયાકેપ્શન સિરામિક વાળા પ્રવિણભાઇ રામજીભાઇ ભાલોડીયા અને પ્રાણજીવનભાઇ કાસુન્દ્રા વિગેરે બિરદાવી છે અને મોરબીના અન્ય ઉધોગકારોને પણ તેના વતનમાં આવી રીતે ઓક્સિજન પાર્ક બનાવવા માટે ચાંચાપરનો ભાલોડીયા પરિવાર પ્રેરણારૂપ બનશે તેવી લાગણી વ્યક્ત કરી છે

 

 
 
 



Latest News