મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

વાંકાનેરની ડબલ ચાલીમાં ચાર મહિના પહેલા લગ્ન થયેલ પરિણીતાએ કર્યો આપઘાત


SHARE













વાંકાનેરની ડબલ ચાલીમાં ચાર મહિના પહેલા લગ્ન થયેલ પરિણીતાએ કર્યો આપઘાત

વાંકાનેરના વીસીપારમાં આવેલ ડબલ ચાલી વિસ્તારમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર પોતાના રૂમની અંદર રાત્રી દરમિયાન ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મૃતક પરિણીતાના સસરાએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના વીસીપરા વિસ્તારની ડબલ ચાલીમાં રહેતા હબીબભાઈ સુલેમાનભાઈ મોવર જાતે મિયાણા (ઉંમર ૫૦) ના દિકરા હમિદભાઈની પત્ની રોશનબેન (ઉંમર ૨૨)એ તા ૧૯ ના રાત્રિના એક વાગ્યાથી લઈને સવારના સાડા સાત વાગ્યા દરમિયાન પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ચાર માસ પહેલા જ રોશનના હમીદભાઈ સાથે લગ્ન કરવામાં આવ્યા હતા દરમિયાન તેણે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોય વાંકાનેર પોલીસે બનાવની નોંધ કરી કાગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારના જીવરાજપરા વિસ્તારમાં રહેતા કાનજીભાઈ કાંતિભાઈ મુછડીયા નામનો ૪૨ વર્ષીય યુવાન જુના રફાળેશ્વર રોડ ઉપર પ્લેટીના સીરામીક નજીક હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો.તેમજ એમપીના જાંબુવાના ગોપાલપુરા વિસ્તારનો રહેવાસી નીતિનભાઈ શીંગાડીયા નામનો ૩૨ વર્ષીય યુવાન પોતાના શેઠના બાઈકની પાછળ બેસીને જતો હતો ત્યારે ટીંબડી ગામના પાટિયા નજીક તે અકસ્માતે પડી જતા પગના ભાગે ઇજાઓ થવાથી તેને સારવાર માટે ખસેડાયો હતો.






Latest News