મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરની ડબલ ચાલીમાં ચાર મહિના પહેલા લગ્ન થયેલ પરિણીતાએ કર્યો આપઘાત


SHARE











વાંકાનેરની ડબલ ચાલીમાં ચાર મહિના પહેલા લગ્ન થયેલ પરિણીતાએ કર્યો આપઘાત

વાંકાનેરના વીસીપારમાં આવેલ ડબલ ચાલી વિસ્તારમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર પોતાના રૂમની અંદર રાત્રી દરમિયાન ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મૃતક પરિણીતાના સસરાએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના વીસીપરા વિસ્તારની ડબલ ચાલીમાં રહેતા હબીબભાઈ સુલેમાનભાઈ મોવર જાતે મિયાણા (ઉંમર ૫૦) ના દિકરા હમિદભાઈની પત્ની રોશનબેન (ઉંમર ૨૨)એ તા ૧૯ ના રાત્રિના એક વાગ્યાથી લઈને સવારના સાડા સાત વાગ્યા દરમિયાન પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ચાર માસ પહેલા જ રોશનના હમીદભાઈ સાથે લગ્ન કરવામાં આવ્યા હતા દરમિયાન તેણે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોય વાંકાનેર પોલીસે બનાવની નોંધ કરી કાગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારના જીવરાજપરા વિસ્તારમાં રહેતા કાનજીભાઈ કાંતિભાઈ મુછડીયા નામનો ૪૨ વર્ષીય યુવાન જુના રફાળેશ્વર રોડ ઉપર પ્લેટીના સીરામીક નજીક હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો.તેમજ એમપીના જાંબુવાના ગોપાલપુરા વિસ્તારનો રહેવાસી નીતિનભાઈ શીંગાડીયા નામનો ૩૨ વર્ષીય યુવાન પોતાના શેઠના બાઈકની પાછળ બેસીને જતો હતો ત્યારે ટીંબડી ગામના પાટિયા નજીક તે અકસ્માતે પડી જતા પગના ભાગે ઇજાઓ થવાથી તેને સારવાર માટે ખસેડાયો હતો.






Latest News