મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

હળવદમાં ખજુરભાઇની ગરજ સારતુ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ : જરૂરીયાતમંદ પરિવારને સધીયારો આપ્યો


SHARE













હળવદમાં ખજુરભાઇની ગરજ સારતુ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ : જરૂરીયાતમંદ પરિવારને સધીયારો આપ્યો

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ કેજે છેલ્લા છ વર્ષથી હળવદમાં સેવાની અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને લોકો માટે એક અગ્રીમ સામાજિક સંસ્થા બની ચૂકી છે. ત્યારે હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા એક જરૂરીયાતમંદ પરિવારનું મકાન છત વગરનું હોય અને આગામી દિવસોમાં વરસાદ આવવાનો હોય તે પરીવારના જર્જરીત હાલતમાં રહેલા મકાનનું રીનોવેશ હાથ ધરવામા આવ્યુ હતુ.તે પરીવારનું મકાન પડી જાય તે હાલતમાં હતુ.ચોમાસા દરમ્યાન મકાનની અંદર પાણી પડતાં મકાનમાં રહેવું પણ મુશ્કેલ બની જતું હતુ. ત્યારે એક વ્યક્તિએ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપનો સંપર્ક કરીને આ પરિવારને મદદ કરવાનું જણાવ્યું હતુ ત્યારે તાત્કાલિક ચોમાસુ નજીક હોવાથી સ્થળ પર જઈને તપાસ કરીને ગૃપે દાતાઓનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અનેક દાતાઓએ પોતાની બનતી તમામ મદદ કરવા જણાવ્યું અને ગ્રુપ દ્વારા જરૂરી તમામ સામગ્રી એકઠી કરી ગ્રુપના સભ્યો તેમજ મજૂરો દ્વારા માત્ર ચાર દિવસમાં તે પરીવારના મકાનનું રીનોવેશ ન કામને પૂર્ણ કરી પરિવારને જરૂરિયાત પ્રમાણે મકાન ઊભું કરવામાં સહયોગી બન્યુ હતુ. મકાન જોતાની સાથે જ પરિવારમાં રહેલ ત્રણ બાળકો અને નાની દીકરી કેજે અંદાજિત સાત વર્ષની ઉંમરની છે તેની આંખમાંથી.હર્ષના આંસુ નીકળી ગયા હતા અને પરિવાર ખૂબ જ ખુશખુશાલ થઇ ગયો હતો તેમજ આગામી સમયમાં જ્યાં સુધી પરીવાર પગભર ન થાય ત્યાં સુધી રાત્રીના ભોજનની વ્યવસ્થા પણ આ ગ્રુપ દ્વારા ઉઠાવવામાં આવી હતી. જે રીતે વાવાઝોડા બાદ રાજુલા સહીતના અનેક વિસ્તારોમાં લોકોના મકાનો ધરાશાયી થવાથી જાણીતા યુટુબર નિશાંત જાની (ખજૂરભાઇ) દ્વારાજે રીતે જરૂરીયાતમંદ પરીવારોમા ઘર સુધી જઇને સ્થળ તપાસ કરીને જે રીતે મદદરૂપ બનવામાં આવે છે અને તેઓના આશીયાના (ઘર) બાંધી દેવાની જે સેવા કરવામાં આવી રહી છે તેવા પ્રકારની પ્રવૃત્તિ હળવદના આ ફ્રેન્ડ યુવા સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતા તેઓની હળવદ પંથકમાં ચોમેર પ્રશંસા થઈ રહી છે.






Latest News