મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૨૩ સખી મંડળોને ૩૪૪ લાખની સી.સી. લોન ધિરાણના હુકમો એનાયત કરાયા


SHARE

















મોરબીમાં ૨૨૩ સખી મંડળોને ૩૪૪ લાખની સી.સી. લોન ધિરાણના હુકમો એનાયત કરાયા

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષસ્થાને દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા આયોજિત સ્વ-સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન  કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયત કચેરી ખાતે બુધવારે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે મહિલાઓ સ્વબળે આગળ વધે, પુરુષ સમોવડી બની પરિવારમાં આર્થિક સમૃદ્ધિ લાવે તેવા ગુજરાત સરકારે પ્રયત્નો કર્યા છે. કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી જયંતીભાઈ પડસુંબીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના બહેનોની ચિંતા કરતા આવ્યા છે અને તેમણે ‘નારી તું નારાયણી’ સુત્રને સાર્થક કર્યું છે. સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ હંસાબેન પારેધીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત ગ્રામીણ વિસ્તારની ગરીબ પરિવારની બહેનોને સ્વરોજગારી પુરી પાડી ગરીબીમાંથી બહાર લાવવાનું ઉત્તમ કાર્ય કર્યું છે

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના (DAY-NRLM) ૨૦૨૨-૨૩ અંતર્ગત સખી મંડળની બહેનોને સી.સી. લોન દ્વારા આર્થિક પ્રવૃતિ કરી ગરીબીમાંથી આગળ આવે તે હેતુથી કેશ ક્રેડિટ લોન કેમ્પમાં ૨૪૦ સખીમંડળોને કુલ રૂપિયા ૩૬૧ લાખ રકમની સી.સી. લોન મંજૂર કરવામાં આવી હતી. તેમજ ૨૨૩ સખીમંડળોને ૩૪૪ લાખ રકમની સી.સી. લોન ધિરાણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ૧૪ જેટલા સ્વસહાય જૂથોને ટોકન સ્વરૂપે ચેક તેમજ મંજૂરીપત્રો મહાનુભવોના હસ્તે અર્પણ કરાયા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇશિતાબેન મેર,  કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, આરોગ્ય સમિતિ ચેરમેન હીરાભાઈ ટમારીયા, શિક્ષણ સમિતિ ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, અગ્રણી સર્વશ્રી જીગ્નેશભાઈ કૈલા, કિશોરભાઈ ચીખલિયા, વાઘજીભાઈ ડાંગરોચા, નથુભાઈ કડીવાર, રવજીભાઈ પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો સ્ટાફ અને સ્વસહાય જૂથોના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News