મોરબીમાં રવિવારે યોજાનાર રઘુવંશી મહાસંમેલન હાલ પૂરતુ મોકુફ
SHARE









મોરબીમાં રવિવારે યોજાનાર રઘુવંશી મહાસંમેલન હાલ પૂરતુ મોકુફ
મોરબી લોહાણા સમાજના ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટકનુ આકસ્મિક અવસાન થયું છે જેથી કરીને મોરબી ખાતે આગામી તા ૩-૭ ના રોજ યોજાનાર રઘુવંશી મહાસંમેલન મોકુફ રાખવામા આવેલ છે અને આગામી દિવસોમાં મહાસંમેલનની નવી તારીખ જાહેર કરવામા આવશે
મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સમસ્ત લોહાણા સમાજની કાર તથા બાઈક રેલી ઉપરાંત સમસ્ત લોહાણા સમાજના મહાસંમેલનનું તા ૩-૭ ને રવિવારના રોજ યોજવાનુ હતું જો કે, તા.૨૬-૬ ને રવિવારના રોજ મોરબી લોહાણા સમાજના અગ્રણી ઉદ્યોગપતિ જગદીશભાઈ ડાયાલાલ કોટકનુ આકસ્મિક દુઃખદ અવસાન થતા તા.૩-૭ ના રોજ મોરબી મુકામે યોજાનાર તમામ કાર્યક્રમો મોકુફ રાખવામા આવ્યા છે. આગામી સમયમા મોરબી મુકામે રઘુવંશી મહાસંમેલનની નવી તારીખ જાહેર કરવામા આવશે.
