વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં  વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન લોકોને સરકારી યોજનાઓની માહિતી લાભો અપાશે: કલેકટર


SHARE

















મોરબી જિલ્લામાં  વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન લોકોને સરકારી યોજનાઓની માહિતી લાભો અપાશે: કલેકટર

આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં આગામી પાંચમી જુલાઇથી જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે રૂટ નક્કી કરીને વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન ઘડવામાં આવ્યું છે. જેની તૈયારીઓ અંગેની બેઠક મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની વિશેષ ઉપસ્થિતિમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

સમગ્ર યાત્રા દરમિયાન સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે મોરબી જિલ્લાનું તંત્ર કામ કરી રહ્યું છે. વંદે ગુજરાત વિકાસયાત્રા સાચા અર્થમાં જનસેવા નો સેવાયજ્ઞ બની રહે તે માટે ટીમ વર્કથી કામ કરવા માટે જિલ્લા કલેકટર જે.બી. પટેલ દ્વારા વિવિધ કચેરીઓના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું છે. ડીડીઓ પરાગ જે. ભગદેવે પણ ગ્રામ્ય વિસ્તારમાં વંદે ગુજરાત વિકાસયાત્રા દરમિયાન પંચાયત હેઠળની વિવિધ જનસેવા, આરોગ્ય વિભાગ સહિત અન્ય વિભાગોના લાભો સ્થળ પર મળી રહે અને જનજાગૃતિ ફેલાય તેવા હેતુને પાર પાડવા માટે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી નિદર્શન તેમજ ફિલ્મ નિદર્શન તેમજ કાર્યક્રમના સ્થળે લાભાર્થીઓને વિવિધ લાભો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો નું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું અધિક કલેકટર એન.કે. મુછારે જણાવ્યું હતું મોરબી જિલ્લામાં વંદે ગુજરાત  વિકાસ યાત્રા અંતર્ગત બે રથની ફાળવણી કરવામાં આવી છે. જે જિલ્લા પંચાયતની સીટ વાઇઝ ક્લસ્ટરમાં રોજ બે ગામોમાં કલ્યાણકારી યોજનાઓની માહિતી આપશે. જિલ્લા કક્ષાએથી રથનું પ્રસ્થાન તા.૫ જુલાઇના રોજ કરવામાં આવશે. જુદા જુદા બે ગામોમાં રોજ સવારે અને સાંજે વિકાસ લક્ષી કાર્યક્રમ યોજાશે. તા. ૧૯ જુલાઈ સુધી આ કાર્યક્રમો યોજાશે. આંગણવાડીઓમાં વાનગી પ્રદર્શન અને માતૃશક્તિ યોજનાના લાભો અપાશે. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, સર્વે પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, ટીડીઓઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News