મોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વસ્થ સમાજના નિર્માણ માટે અપૂર્વમુનીસ્વામીનો સેમિનાર યોજાયો
SHARE
મોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વસ્થ સમાજના નિર્માણ માટે અપૂર્વમુનીસ્વામીનો સેમિનાર યોજાયો
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત મોરબીના તમામ ડોક્ટરોની MEDICO SPIRITUAL CONFERENCEનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સ્વસ્થ સમાજના સર્જક એટલે ડોક્ટર. તેઓ પોતાના પ્રોફેશનને પરફેક્ટ બનાવી શકે, સાથે સાથે પોતાના સ્વજનોના સંબંધોને વધુ સારી રીતે સાચવી શકે તે આ MEDICO SPIRITUAL CONFERENCEનો મુખ્ય હેતુ હતો.
આ કોન્ફરન્સમાં મોરબીમાં રહીને સત્સંગ પ્રવૃતિ કાર્યકર્તા હરિસ્મરણસ્વામિએ પ્રાસગિંક ઉધ્બોધ્ન કર્યું હતું અને ત્યાર બાદ અપૂર્વમુનીસ્વામીએ પોતાની વિદ્વતા સભર શૈલીમાં ડોક્ટરોના પારિવારીક તેમજ વ્યવસાયક જીવનમાં આવતી સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને જીવન સફળતા અંગે તો બધા વાતો કરે પણ નિષ્ફળતા મળે ત્યારે તેને કઈ રીતે મેનેજ કરવી તે અંગે જણાવ્યુ હતું વધુમાં અપૂર્વમુનીસ્વામીએ ‘ART OF KARMA ’ વિષય પર કહ્યું હતું કે, પ્રામાણિક પ્રેકટીસની પ્રોફેશનમાં ખૂબ જરૂર છે. પ્રામાણિક પ્રેક્ટીસ સાથે શુદ્ધ હ્રદયની પ્રાર્થનાથી સારવાર સફળ થાય છે. તેમજ વ્યસનમુક્ત અને ઈર્ષામુક્ત જીવન બનાવીએ, સફળતા અને નિષ્ફળતામાં સ્થિર રહેવા માટે મંદિરે જવું ખૂબ જરૂરી, ડોક્ટર્સ માટે શારીરિક સ્વાસ્થ્ય-માનસિક સ્વાસ્થ્ય-સામાજીક સ્વાસ્થ્ય-આધ્યાત્મિક સ્વાસ્થ્ય રહેવું અનિવાર્ય છે આ કોન્ફરન્સના અંતમાં ઉપસ્થિત મહેમાનોનું સંતો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ૩૫૦થી વધુ ડોક્ટર્સ તેમજ રાજકીય આગેવાનો, વિવિધ ક્ષેત્રોના આગેવાનો સહિત ૧૫૦૦થી વધુ લોકો આવ્યા હતા
આ કાર્યક્રમમાં રાજ્યકક્ષા બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન અજયભાઈ લોરીયા, ભાજપ તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, મોરબી તાલુકા પંચાયત ચેરમેન રાકેશભાઈ કાવર, કિશાન મોરચા કોષાધ્યક્ષ કે.કે. પરમાર, ભાવેશ કંજારિયા તથા સિરામિક એસો. ના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મુકેશભાઇ કુંડારિયા, વિનોદભાઈ ભાડજા અને હરેશભાઈ બોપલિયા તેમજ માજી પ્રમુખ કે.જી. કુંડારીયા, જગદીશભાઈ વરમોરા, અરવિંદભાઈ જીવાણી, મનુભાઈ ફેફર, ચતુરભાઈ પાડલીયા, ગીરીશભાઈ સુવારીયા, કિશોરભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા તેમજ ડોક્ટર સેલના પ્રમુખો ડો.બાવરવા (IMA પ્રેસિડેંટ), પૂર્વ પ્રમુખ ડો.વિજયભાઈ ગઢીયા, ડો.હિતેશભાઈ પટેલ, ડો.ચિન્મયભાઈ ત્રિવેદી, ડો.જયેશ સનારીયા, ડો.ભાવેશ ઠોરીયા, ડો.નિલેશ કાવર, ડો.જીતેશ દઢાણીયા, ડો.પ્રમિત ભોરણીય, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતિભાઈ ભાડેસિયા, ઉત્સવભાઈ દવે, ભરતભાઈ બોપલિયા, સુભાષભાઈ દેત્રોજા, ડી.એલ. રંગપરિયા, શામજી રંગપરિયા મનોજભાઇ ઓગણજા, પી.ડી. કાંજીયા, હર્ષદભાઈ ગામી, નિલેષભાઈ કુંડારિયા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા









