મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે તળાવમાં ડૂબી જવાથી બે રાજસ્થાની મજૂર યુવાનોના મોત


SHARE













મોરબીના બેલા પાસે તળાવમાં ડૂબી જવાથી બે રાજસ્થાની મજૂર યુવાનોના મોત

મોરબી તાલુકાના બેલા ગામ પાસે ખોખરા રોડ ઉપર આવેલ તળાવમાં ડૂબી જવાથી બે મજૂર યુવાનોના મોત નીપજ્યા છે જેથી કરીને તળાવના પાણીમાંથી તેમના ડેડબોડીને બહાર કાઢીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસેથી ખોખરા રોડ ઉપર પોલા સર્કલ પાસે આવેલ સ્પેરા સીરામીક નજીક પાણીનું તળાવ આવેલ છે જે પાણીના તળાવમાં બે યુવાનો ડૂબી ગયા હતા જેથી કરીને તે બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.ત્યારબાદ તે બંને યુવાનોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ.બારૈયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક યુવાનોમાં સોનુભાઈ સુરેશભાઈ જાટવ (ઉંમર ૨૧) અને મોનુભાઈ (ઉંમર ૨૦) રહે.બંને હાલ સ્પેરા સીરામીક બેલા તા.જી.મોરબી મૂળ રહે.રાજસ્થાન વાળા હોવાનું સામે આવ્યું છે જેથી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી છે.

મારામારીમાં ઈજા

મોરબીના લખધીરપુર રોડ ઉપર દરિયાલાલ કાંટા નજીક ભંગારના ડેલામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કાલુ રાજારામ રાજપુત નામના ૨૨ વર્ષના યુવાનને ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયો હતો.જ્યારે શિલ્પાબેન બહાદુરભાઈ હળવદિયા (ઉંમર ૨૦) રહેઅગ્નિેશ્વર મહાદેવ મંદિર સામે ઝુલતાપુલ નજીક વાળીને તેના ઘેર તેના પતિ દ્વારા મારવામાં આવતા તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી.

બાળક સારવારમાં

મોરબી તાલુકાના જીવાપર ગામે રહેતા યોગેશભાઈ હડીયલનો અગીયાર વર્ષનો પુત્ર સુજલ સાયકલ લઈને પ્રાથમિક શાળા બાજુથી પોતાના ઘર તરફ આવતો હતો ત્યારે ગામમાં જુના ઢાળીયા નજીક તે સાયકલમાંથી પડી જતા ઈજાઓ થવાથી તેને સારવારમાં મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગર વિસ્તારમાં રહેતા શિવશંકરભાઈ શિવબચત પાલ નામનો ૩૭ વર્ષીય યુવાન કચ્છ બાજુથી આવતો હતો ત્યારે સામખયારી નજીક દ્વારકાધીશ હોટલ પાસે બે ટ્રક સામસામે અથડાતા અકસ્માત બનાવમાં તેને ઇજાઓ તથા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.






Latest News