મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબી નજીક કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકોને 50 કિલો મીટરનો ધક્કો !


SHARE

















મોરબી નજીક કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકોને 50 કિલો મીટરનો ધક્કો !

મોરબી જિલ્લામાંથી પસાર થતો જામનગર કચ્છ હાઇવે આજે બપોરના બે વાગ્યાથી બંધ થઈ ગયો છે કારણ કે આ રોડ ઉપર બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે જેના ડાયવર્ઝનમાં વરસાદી પાણી આવી જવાથી હાલમાં ડાઈવર્જન સંપૂર્ણ ધોવાઈ ગયું છે જેથી કરીને વાહન માટે થઈને ડાયવર્જનને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે અને હાલમાં જામનગર થી કચ્છ બાજુ જવા માટે થઈને વાહન ચાલકોને લગભગ 50 કિલોમીટરથી વધુ ફરવા માટે જવું પડી રહ્યું છે

જામનગર જિલ્લામાંથી કચ્છ તરફ જવા માટે થઈને કોસ્ટલ હાઈવે મોરબી જિલ્લામાંથી પસાર થાય છે અને મોરબી જિલ્લાના આમરણ પાસેથી આ રસ્તો પસાર થતો હોય તે રસ્તાને મજબુત બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને રસ્તામાં આવતા પુલિયા, નાલાઓને પણ મજબૂત બનાવવા માટેની કામગીરીના ભાગરૂપે તે નવા પુલ બનાવવામાં આવી રહ્યા છે દરમ્યાન હજનારી ગામ પાસે નવો પુલ બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને લગભગ ત્રણથી ચાર મહિના પહેલા સ્થાનિક ગામના લોકો દ્વારા કોન્ટ્રાક્ટરને ઝડપથી કામ કરવા માટે અને ડાઈવર્જનને મજબૂત બનાવવા માટે થઈને રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા તે મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવ્યો ન હતો જેથી કરીને છેલ્લા ચાર પાંચ દિવસથી પડી રહેલા વરસાદના કારણે બીલીયા, બગથળા સહિતના ગામોમાં પડેલા વરસાદના લીધે હાલમાં હજનારી પાસે જે ડાઈવર્જન બનાવવામાં આવ્યું છે એ ડાઇવર્જન ઉપર પાણી ફરી વળ્યું છે જેના લીધે ડ્રાઈવર્જન સંપૂર્ણ તૂટી ગયો છે જેથી કરીને વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો છે અને બપોરના બે વાગ્યાથી આ રસ્તા ઉપર થી વાહનો પસાર થઈ શકે નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેથી કરીને હાલમાં જામનગર થી કચ્છ બાજુ અથવા તો કચ્છ બાજુથી જામનગર તરફ જવા માટે વાહન ચાલકોને લગભગ 50 કિલોમીટર સુધીનો ફેરો ફરવા માટે જોવો પડે છે




Latest News