મોરબીમાં આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દ્વારા જગન્નાથ રથયાત્રા યોજાઇ
મોરબીમાં કચરાના ઢગલામાં નવજાત શિશુને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધાયો
SHARE









મોરબીમાં કચરાના ઢગલામાં નવજાત શિશુને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધાયો
મોરબીના મહેન્દ્રપરા પાસે કરવામાં આવેલ કચરાના ઢગલામાંથી શનિવારે સાંજે બાળકના રડવાનો અવાજ આવતો હતો જેથી કરીને લોકોએ ચેક કરતાં ત્યાંથી બિનવારસી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું જેથી કરીને પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી અને બાળકને સારવારમાં ખસેડાયું હતું ત્યાર બાદ હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણી મહિલા સામે ગુનો નોંધાયો છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આસ્વાદ પાન પાસે આવેલ મહેન્દ્રપરા વિસ્તારમાં રોડ ઉપર કરવામાં આવતા કચરાના ઢગલામાંથી બાળકને રડવાનો અવાજ શનિવારે સનાજે આવ્યો હતો જેથી કરીને સ્થાનિક લોકોએ પોલીસને બનાવની જાણ કરી હતી જેથી પોલીસ મહિલા સામાજિક કાર્યકર હસીનાબેન લાડકાને સાથે લઈને ઘટના સ્થળે પહોચી હતી અને ત્યાં કચરામાં પડેલ નવજાત શિશુને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખાસેડાયું હતું અને આ બાળકને ત્યાં કચરામાં કોણ ફેંકી ગયું તે પ્રશ્ન ઊભો છે તેવામાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણી મહિલાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરેલ છે
