માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વરસાદી ઋતુમાં વહીવટી તંત્ર સાબદુ: ૨૪ કલાક કંટ્રોલરૂમ, તરવૈયાની ટીમ તૈયાર


SHARE

















મોરબી જીલ્લામાં વરસાદી ઋતુમાં વહીવટી તંત્ર સાબદુ: ૨૪ કલાક કંટ્રોલરૂમ, તરવૈયાની ટીમ તૈયાર

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સંભવિત ભારે વરસાદને પગલે તમામ પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે.

જિલ્લા કલેકટર જે.બી. પટેલે જણાવ્યું હતું કેહવામાન વિભાગ દ્વારા મોરબી જિલ્લાને યલો ઝોનમાં મૂકવામાં આવ્યું છે જેથી વધારે નુકસાનની સંભાવનાઓ નહિવત છે. છતાં વહીવટી તંત્ર એલર્ટ છે. ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યું છે ઉપરાંત જિલ્લાના પાંચ તાલુકામાં તરવૈયાની ટીમતંત્રની સર્વેની ટીમરેસ્ક્યુ ટીમ વગેરે તૈનાત રાખવામાં આવી છે.  એક SDRF ની ટીમ પણ આવી પહોંચી છે. વાવણી લાયક વરસાદ થયો હોવાથી ૬૦ ટકાથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોની વાવણી કરવામાં આવી છે. આગામી અઠવાડિયામાં બાકીની ૪૦ ટકા જેટલી જમીનમાં પણ વાવણી થઈ જવાની શક્યતાઓ છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.




Latest News