મોરબી જિલ્લામાં મહાનુભાવોની ઉપસ્થિતમાં ગુરુ પૂર્ણિમાએ વિદ્યા સહાયક સ્થળ પસંદગી કેમ્પ યોજાયો
વાંકાનેરમાં મામલતદાર કચેરીના દરવાજા પાસેનો રોડ અધિકારીઓને કેમ દેખાતો નથી ?
SHARE
વાંકાનેરમાં મામલતદાર કચેરીના દરવાજા પાસેનો રોડ અધિકારીઓને કેમ દેખાતો નથી ?
(શાહરૂખ ચૌહાણ દ્વારા) સરકાર દ્વારા એક બાજુ ૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસની યાત્રા કાઢવામાં આવે છે અને બીજી બાજુઓ અનેક વિસ્તારોની અંદર રોડ રસ્તામાં લોકોની કમર તૂટી જાય તેવા ખાડા છે અથવા તો જીવલેણ અકસ્માત સર્જાય તેવા ખાડા છે તેમ છતાં પણ તેની સામે સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તે હકીકત છે આવી જ રીતે વાંકાનેર શહેરની અંદર આવેલ મામલતદાર કચેરીના દરવાજા પાસે રોડ ભયંકર રીતે તૂટી ગયો છે અને સીસી રોડમાં સળિયા નીકળી ગયા છે તેમ છતાં પણ ત્યાં રીપેરીંગ કામ કરવાની તસ્તી અધિકારીઓ કે પદાધિકારીઓ દ્વારા લેવામાં આવતી નથી જેથી કરીને રસ્તા ઉપરથી પસાર થતા લોકો અવારનવાર નાના-મોટા એકસીડન્ટનો ભોગ બનતા હોય છે અને ખાસ કરીને મહિલાઓ જ્યારે આ રસ્તા ઉપરથી સ્કૂટર લઈને નીકળતી હોય છે અને વરસાદી પાણી ખાડામાં ભરેલું હોય છે ત્યારે વધુ અકસ્માત થાય છે અને આ બેદરકારીના લીધે જ્યારે કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઊભો થયો છે ત્યારે વાંકાનેર શહેરની અંદર મામલતદાર કચેરી પાસે રોડ ઉપર પડેલ ખાડાને વહેલા વેલી તકે પુરવામાં આવે તેવી વાંકાનેર શહેરના લોકોની માંગ કરી છે









