મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં પણ વાંકાનેર વાળી થઈ !: રઘુવંશી મહાસંમેલન રદ કરાવવા કાવાદાવા ?


SHARE







મોરબીમાં પણ વાંકાનેર વાળી થઈ !: રઘુવંશી મહાસંમેલન રદ કરાવવા કાવાદાવા ?

થોડા સમય પહેલા વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી દ્વારા સર્વ જ્ઞાતિનું સંમેલન રાખવામા આવ્યું હતું તેના સ્થળની મંજૂરી છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી આવી જ રીતે મોરબીમાં લીલાપર રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે રઘુવંશી મહાસંમેલન તથા મહાપ્રસાદ(નાત જમણ) નું આયોજન કરવામાં આવ્યું હતી અને તા ૧૭ ના રોજ આ કાર્યક્રમ યોજાવાનો હતો જો કે, તે તારીખ નિશ્ચિત છે પરંતુ સ્થળમા ફેરફાર કરવામાં આવેલ છે અને રઘુવંશી સમાજનુ નાત જમણ રદ કરાવવાની નીચ ચેષ્ઠા કરનારા લોકોને સમસ્ત ગુજરાતનો રઘુવંશી સમાજ આગામી દિવસોમાં જવાબ આપશે

રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સમગ્ર ગુજરાતના રઘુવંશી સમાજ માટે આગામી તા.૧૭-૭ રવિવારના રોજ મોરબી મુકામે રઘુવંશી મહાસંમેલન તથા મહાપ્રસાદનુ આયોજન લીલાપર કેનાલ રોડ સ્થિત કેશવ પાર્ટી પ્લોટ ખાતે  કરવામા આવ્યુ હતુ. પરંતુ રાજકીય નીચતા ધરાવતા લોકો દ્વારા કેશવ પાર્ટી પ્લોટના સંચાલકો પર દબાણ લાવી સંમેલન રદ કરવવાનુ  હીન કૃત્ય કરવામા આવ્યુ છે ત્યારે સમસ્ત રઘુવંશી સમાજના આગેવાનો લાલઘુમ થયા છે. અને સંમેલન તા.૧૭-૭ ને રવીવારના રોજ મોરબી ખાતે જ યોજાશે. અને સંમેલન તથા મહાપ્રસાદનુ સ્થળ પટેલ સમાજ વાડી, રાજપર ગામ ખાતે યોજવાનુ નિર્ધારીત કરવામા આવ્યુ છે

આ સંમેલન કોઈ એક વ્યક્તિ વિશેષ નથી યોજાવાનુ, સમસ્ત રઘુવંશી સમાજના નાતજમણનુ આયોજન છે. પરંતુ રઘુવંશી સમાજનુ પતન ઈચ્છતા લોકો દ્વારા કરવામા આવેલ હીન કૃત્ય રઘુવંશી સમાજ ક્યારેય સાંખી નહીં લે. આ સંમેલન યોજાઈને જ રહેશે અને રઘુવંશી સમાજનુ પતન ઈચ્છતા લોકોને જળબાતોડ જવાબ આપવા ગામેગામથી રઘુવંશી સમાજના આગેવાનોને ઉમટી પડવા રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા આહવાન કરવામા આવેલ છે. તેવું રામધામના પ્રણેતા અને લોહાણા સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણીએ જણાવ્યુ છે






Latest News