માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીમાં પણ વાંકાનેર વાળી થઈ !: રઘુવંશી મહાસંમેલન રદ કરાવવા કાવાદાવા ?


SHARE













મોરબીમાં પણ વાંકાનેર વાળી થઈ !: રઘુવંશી મહાસંમેલન રદ કરાવવા કાવાદાવા ?

થોડા સમય પહેલા વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી દ્વારા સર્વ જ્ઞાતિનું સંમેલન રાખવામા આવ્યું હતું તેના સ્થળની મંજૂરી છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી આવી જ રીતે મોરબીમાં લીલાપર રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે રઘુવંશી મહાસંમેલન તથા મહાપ્રસાદ(નાત જમણ) નું આયોજન કરવામાં આવ્યું હતી અને તા ૧૭ ના રોજ આ કાર્યક્રમ યોજાવાનો હતો જો કે, તે તારીખ નિશ્ચિત છે પરંતુ સ્થળમા ફેરફાર કરવામાં આવેલ છે અને રઘુવંશી સમાજનુ નાત જમણ રદ કરાવવાની નીચ ચેષ્ઠા કરનારા લોકોને સમસ્ત ગુજરાતનો રઘુવંશી સમાજ આગામી દિવસોમાં જવાબ આપશે

રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સમગ્ર ગુજરાતના રઘુવંશી સમાજ માટે આગામી તા.૧૭-૭ રવિવારના રોજ મોરબી મુકામે રઘુવંશી મહાસંમેલન તથા મહાપ્રસાદનુ આયોજન લીલાપર કેનાલ રોડ સ્થિત કેશવ પાર્ટી પ્લોટ ખાતે  કરવામા આવ્યુ હતુ. પરંતુ રાજકીય નીચતા ધરાવતા લોકો દ્વારા કેશવ પાર્ટી પ્લોટના સંચાલકો પર દબાણ લાવી સંમેલન રદ કરવવાનુ  હીન કૃત્ય કરવામા આવ્યુ છે ત્યારે સમસ્ત રઘુવંશી સમાજના આગેવાનો લાલઘુમ થયા છે. અને સંમેલન તા.૧૭-૭ ને રવીવારના રોજ મોરબી ખાતે જ યોજાશે. અને સંમેલન તથા મહાપ્રસાદનુ સ્થળ પટેલ સમાજ વાડી, રાજપર ગામ ખાતે યોજવાનુ નિર્ધારીત કરવામા આવ્યુ છે

આ સંમેલન કોઈ એક વ્યક્તિ વિશેષ નથી યોજાવાનુ, સમસ્ત રઘુવંશી સમાજના નાતજમણનુ આયોજન છે. પરંતુ રઘુવંશી સમાજનુ પતન ઈચ્છતા લોકો દ્વારા કરવામા આવેલ હીન કૃત્ય રઘુવંશી સમાજ ક્યારેય સાંખી નહીં લે. આ સંમેલન યોજાઈને જ રહેશે અને રઘુવંશી સમાજનુ પતન ઈચ્છતા લોકોને જળબાતોડ જવાબ આપવા ગામેગામથી રઘુવંશી સમાજના આગેવાનોને ઉમટી પડવા રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા આહવાન કરવામા આવેલ છે. તેવું રામધામના પ્રણેતા અને લોહાણા સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણીએ જણાવ્યુ છે






Latest News