મોરબીમાં પણ વાંકાનેર વાળી થઈ !: રઘુવંશી મહાસંમેલન રદ કરાવવા કાવાદાવા ?
નર્મદા નિગમ મેઇન ઓફિસ સુરેન્દ્રનગરમાં કાર્યરત કરો: મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખે સીએમને કરી રજૂઆત
SHARE
નર્મદા નિગમ મેઇન ઓફિસ સુરેન્દ્રનગરમાં કાર્યરત કરો: મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખે સીએમને કરી રજૂઆત
સરદાર સરોવર નર્મદા નિગમની કેનલો મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી જાય છે જો કે, તેની વાડી કચેરી અત્યાર સુધી રાજકોટ હતી જે બદલીને લીંબડી કરવામાં આવી છે જેથી જિલ્લા પંચાયતના પ્રમુખે સીએમને રજુઆત કરીને આ કચેરી સુરેન્દ્રનગર ખાતે કાર્યરત કરવા માટેની માંગ કરેલ છે
મોરબી જિલ્લા પંચાયતાના પ્રમુખ ચંદુભાઈ સિહોરા દ્વારા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, સરદાર સરોવર નર્મદા નિગમની નહેરો મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી નીકળે છે જો કે, અગાઉ તેની મુખ્ય કચેરી રાજકોટ ખાતે કાર્યરત હતી જેથી ખેડૂતો સહિતના લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો જેથી કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા મોરબી, સુરેન્દ્રનગર, હળવદ, પાટડી સહિતના વિસ્તારના લોકોની સુખાકારી માટે આ કચેરીને સુરેન્દ્રનગરમાં શરૂ કરવામાં આવે તો ખેડૂતોને રાજકોટના ધક્કા બંધ થાય તેમ હતા જો કે, આ કચેરીને હાલમાં લીંબડી ખાતે સ્થળાંતર કરવામાં આવી છે તેના બદલે આ કચેરીને સુરેન્દ્રનગર ખાતે કાર્યરત કરવાની તેઓએ સીએમ સમક્ષ માંગ કરેલ છે