ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના ઓળ ગામે વાડીની ઓરડીમાંથી ૨૪૦ બોટલ દારૂ ઝડપાયો : આરોપીની શોધખોળ


SHARE







વાંકાનેરના ઓળ ગામે વાડીની ઓરડીમાંથી ૨૪૦ બોટલ દારૂ ઝડપાયો : આરોપીની શોધખોળ

વાંકાનેર તાલુકાના ઓળ ગામની સગો તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી.ત્યારે સ્થળ ઉપરથી ૨૪૦ બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી પોલીસે ૯૦ હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને સ્થળ ઉપર આરોપી હાજર ન હોવાથી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી પ્રમાણે વાંકાનેર તાલુકાના ઓળ ગામની સગો તરીકે ઓળખાતી સીમમાં આવેલ ચેતનભાઇ અવચરભાઈ વીંજવાડિયાની વાડીએ દારૂનો જથ્થો હોવાની બાતમી મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે તે વાડીમાં દારૂની રેડ કરી હતી ત્યારે ચેતનભાઇ અવચરભાઈ વિજવાડિયાની કબ્જા વાળી વાડીની ઓરડીમાંથી ૨૪૦ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૯૦,૦૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.જોકે વાડીના માલિક ચેતનભાઇ અવચરભાઈ વિજવાડીયા જાતે કોળી રહે.ઓળ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે તા.વાંકાનેર જી.મોરબી વાળો વાડીએ હાજર ન હોવાથી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

મારામારીમાં યુવાનને ઇજા

મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા સૌરભ સ્વરાજસિંગ યાદવ જાતે આહિર નામના ૨૪ વર્ષીય યુવાનને માળિયા ફાટક પાસે ઇન્દિરાનગર નજીક મોડી રાત્રિના એકાદ વાગ્યે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગર દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે સૌરભ આહિર સહિતના ત્રણ-ચાર મિત્રો રૂમ પાર્ટનર તરીકે સાથે રહેતા હોય અને કોઈ મિત્ર રૂમ ઉપર આવ્યો હોય જે બાબતને લઈને બોલાચાલી થઈ હતી અને તે વાતને લઈને થયેલી મારામારીમાં તેને ઇજાઓ પહોંચી હોય સારવારમાં લાવવામાં આવ્યો હતો.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ નજરબાગ રેલ્વે સ્ટેશન સામેની ગાંધી સોસાયટીમાં રહેતો દિનેશ છગનભાઈ મકવાણા નામનો ૩૫ વર્ષીય યુવાન તેના ઘેર કોઈ કારણોસર ફીનાઇલ પી ગયો હતો જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવવાની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News