ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નવોઢાએ ફિનાઇલ પી લેતા સારવારમાં ખસેડાઇ


SHARE













વાંકાનેરમાં નવોઢાએ ફિનાઇલ પી લેતા સારવારમાં ખસેડાઇ

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારની અંદર પરણીતાએ કોઈ કારણસર ફિનાઈલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક તેના સસરા સારવાર માટે વાંકાનેરની પીર મસાયક સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને પરણીતાનો લગ્ન ગાળો માત્ર પાંચ મહિના હોવાના કારણે આ બનાવની વાંકાનેર સિટી પોલીસે જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ છે

બનાવની જાણવા મળી માહિતી મુજબ વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારની અંદર રહેતા સંદીપભાઈ દેત્રોજાના પત્ની હંસાબેન દેત્રોજા (ઉંમર ૨૦) એ કોઈ કારણોસર પોતાના ઘરે ફીનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે તેના સસરા નટુભાઈ દેત્રોજા પીર મશાયક સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો માત્ર પાંચ મહિનાનો છે અને તેને સંતાન નથી હાલમાં પરણીતાએ કયા કારણોસર ફીનાઇલ કીધું હતું તે દિશામાં પોલીસે બનાવની નોંધ કરીને તપાસ હાથ ધરી છે

યુવાનનું મોત

મોરબીમાં દરબારગઢ પાસે આવેલ માધાણી શેરીમાં રહેતા દાલીમભાઈ મહેરઅલી શેખ (ઉંમર ૪૨) ને તેઓ પોતાના ઘરે હતા ત્યારે અચાનક શ્વાસ ચડ્યો હતો અને તે બેભાન થઈ ગયા હતા જેથી કરીને તેને બેભાન હાલતમાં ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News