વાંકાનેરમાં નવોઢાએ ફિનાઇલ પી લેતા સારવારમાં ખસેડાઇ
SHARE
વાંકાનેરમાં નવોઢાએ ફિનાઇલ પી લેતા સારવારમાં ખસેડાઇ
વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારની અંદર પરણીતાએ કોઈ કારણસર ફિનાઈલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક તેના સસરા સારવાર માટે વાંકાનેરની પીર મસાયક સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને પરણીતાનો લગ્ન ગાળો માત્ર પાંચ મહિના હોવાના કારણે આ બનાવની વાંકાનેર સિટી પોલીસે જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ છે
બનાવની જાણવા મળી માહિતી મુજબ વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારની અંદર રહેતા સંદીપભાઈ દેત્રોજાના પત્ની હંસાબેન દેત્રોજા (ઉંમર ૨૦) એ કોઈ કારણોસર પોતાના ઘરે ફીનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે તેના સસરા નટુભાઈ દેત્રોજા પીર મશાયક સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો માત્ર પાંચ મહિનાનો છે અને તેને સંતાન નથી હાલમાં પરણીતાએ કયા કારણોસર ફીનાઇલ કીધું હતું તે દિશામાં પોલીસે બનાવની નોંધ કરીને તપાસ હાથ ધરી છે
યુવાનનું મોત
મોરબીમાં દરબારગઢ પાસે આવેલ માધાણી શેરીમાં રહેતા દાલીમભાઈ મહેરઅલી શેખ (ઉંમર ૪૨) ને તેઓ પોતાના ઘરે હતા ત્યારે અચાનક શ્વાસ ચડ્યો હતો અને તે બેભાન થઈ ગયા હતા જેથી કરીને તેને બેભાન હાલતમાં ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી









