મોરબી જિલ્લા કક્ષાની ખેલમહાકુંભની કરાટે સ્પર્ધામાં કુંડારીયા ઘ્રુવકુમાર વિજેતા
મોરબીના ૨૫ વારિયામાં પાલિકાની ટીમે વરસાદી પાણીનો નિકાલ કરાવ્યો
SHARE
મોરબીના ૨૫ વારિયામાં પાલિકાની ટીમે વરસાદી પાણીનો નિકાલ કરાવ્યો
મોરબીના વોર્ડ નં-૧૧માં આવેલ ૨૫ વારિયા સોસાયટીમાં વરસાદી પાણી ભરાય હતા જેથી કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં માટેની રજૂઆત મળી હતી જેથી પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્થાનિક સદસ્ય અને ભગવાનજીભાઇ કંઝારિયા સહિતના ત્યાં ગયા હતા અને વરસાદી પાણીનો નિકાલ કરાવ્યો હતો જેથી ત્યાંના લોકોએ પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર અને સ્થાનિક સભ્યો સહિતનાનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ સોસાયટીનો કાયમી પ્રશ્ન હલ કરવા માટે મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા સૂચના આપવામાં આવી હતી જેથી કરીને સ્ટ્રોમ વોટર લાઈન નાખવા માટે કન્સલન્ટના માણસોને બોલાવી પાલિકાના પ્રમુખ કે.કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પવડી ચેરમેન દેવાભાઈ અવાડિયા, માવજીભાઈ કંઝારિયા અને રોહિતભાઈ કંઝારિયા દ્વારા સુચના આપવામાં આવી હતી અને જે વિસ્તારમાં પાણી ભરાઈ છે તે તમામ જગ્યાએ તત્કાલ માપ લેવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે