મોરબીના રાષ્ટ્ર ભક્તોએ આપેલા ભંડોળમાંથી વધુ એક શાહિદ જવાનના પરિવારને સહાય અર્પણ
SHARE
મોરબીના રાષ્ટ્ર ભક્તોએ આપેલા ભંડોળમાંથી વધુ એક શાહિદ જવાનના પરિવારને સહાય અર્પણ
મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા શાહિદ થયેલા જવાનોના પરિવારને મોરબીના રાષ્ટ્ર ભક્તો પાસેથી મળેલ ભંડોળમાંથી આર્થિક સહાય આપવા માટેની કામગીરી કરવામાં આવે છે ત્યારે જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા પંજાબના બટાલા તાલુકાના ચઠા ગામના મનદીપસિંહના પરિવારને રૂબરૂ સવા લાખની સહાય આપવામાં આવી છે અને ત્યારે શાહિદ જવાનના પરિવારની આપવીતી સાંભળીને મોરબીથી પંજાબ ગયેલા અજય લોરીયા સહિતના યુવાનોની આંખમાં આંસુ આવી ગયા હતા કેમ કે, શાહિદ થયેલા જવાનના ઘરે ૧૫ દિવસ પહેલા જ દીકરાનો જન્મ થયો હતો તેનું મોઢું પણ તે જવાન મનદીપસિંહે જોયું ન હતુ