મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના સનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં રહેતી પરિણીતાએ પતિ સહિત ત્રણ સામે નોંધાવી ફરિયાદ


SHARE















મોરબીના સનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં રહેતી પરિણીતાએ પતિ સહિત ત્રણ સામે નોંધાવી ફરિયાદ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી પરણીતાને તેના પતિ દ્વારા ગાળો આપીને માર મારવામાં આવતો હતો જેથી હાલમાં તેણે પતિ, સાસુ અને સસરા સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર ૯૫૫ માં રહેતા ભાવિનીબેન વિશાલભાઈ ચૌહાણ (ઉંમર ૩૮)એ હાલમાં મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ વિશાલભાઈ નરેન્દ્રભાઈ ચૌહાણ, સસરા નરેન્દ્રભાઈ લખધીરભાઈ ચૌહાણ અને સાસુ ઇલાબેન નરેન્દ્રભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ કોઈ કામ ધંધો કરતા ન હોય તેને કામ ધંધો કરવા માટેનું કહ્યું હતું તેમજ તેના પતિ તેઓને ઘર કામ બાબત અને અન્ય બાબતે અવારનવાર ગાળો આપતા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો અને તેના સાસુ તેમજ સસરા દ્વારા તેના પતિને ચડામણી કરવામાં આવતી હોવાથી તેના પતિને દ્વારા તેને મેણાટોણાં મારીને ગાળો આપવામાં આવતી હતી આમ શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી પરણીતાએ તેના પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના દરબારગઢ પાસે રહેતા ઈન્દુલાલ સોમચંદ ગાંધી (ઉંમર ૮૦) વાળા ચાલીને પોતાના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં ઇકો કારના ચાલકે તેને ઠોકર મારી હતી જેથી ઈન્દુલાલભાઈને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને અકસ્માતના બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News