માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમિકા સાથે વાત ન થતા ગળેફાંસો ખાઈ ગયેલ યુવાનનું મોત


SHARE













મોરબીમાં પ્રેમિકા સાથે વાત ન થતા ગળેફાંસો ખાઈ ગયેલ યુવાનનું મોત

મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનામાં રહીને મજૂરીકામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના યુવાને ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયુ હોવાનો બનાવ સામે આવ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસની હદમાં આવતા હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામ પાસે આવેલ સેલ્ટોસ સેનેટરીવેર નામના કારખાનામાં મજૂર ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી શુભમ હેમરાજ નિશાદ નામના ૨૪ વર્ષીય યુવાને ગઈકાલે મોડી રાત્રીના ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને તેનું મોત નીપજતા ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવ્યું હતું અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીગ્નેશાબેન કણસાગરા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે મૃતક શુભમ નીશાદને તેના વતનમાં કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને તે યુવતી સાથે છેલ્લા થોડાક સમયથી વાતચીત થતી ન હોય તે બાબતનું મનોમન લાગી આવતા તેણે ગળેફાંસો ખાઈ લીધો હતો અને તેનું મોત નીપજેલ છે.મૃતક શુભમ પોતાના ભાઈ અને કાકા સહિતના પરિવારજનો સાથે અહીં કારખાનામાં લેબર કવાટરમાં રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો અને તેના વતનમાં કોઈ યુવતી સાથે પ્રેમસંબંધ હતો પરંતુ યુવતી સાથે વાતચીત ન થતા તેણે ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતા તેનું મોત નીપજયુ હતું.

ગળેફાંસો ખાતા સારવારમાં

મોરબી-વાંકાનેર હાઇવે સરતાનપર રોડ ઉપર આવેલ દિયાન પેપર મિલમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાનને હાલમાં બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સરતાનપર રોડ ઉપર આવેલ દિયાન પેપર મીલમાં રહીને મજૂરી કામ કરતા સચિન હરિસિંગ યાદવ નામના ૧૯ વર્ષીય મજુર યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેને બેભાન હાલતમાં અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો છે.હાલ તે બેભાન હોવાના કારણે કયા કારણોસર તેણે ઉપરોક્ત પગલું ભર્યું..? તે હાલ જાણવા મળેલ નથી.મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

જીવલેણ હુમલો કરવાના ગુનામાં ધરપકડ

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં થોડા સમય પહેલા બે જૂથ વચ્ચે સામસામી મારામારી થઈ હતી અને તેમાં કલમ ૩૦૭ (ખુનની કોશિશ) સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.જે ગુનામાં હાલમાં એ ડિવિઝન પીઆઇ એમ.પી.પંડ્યા દ્વારા સાહિલ ઉર્ફે સવો રહેમાન ચાનિયા જાતે સંધિ (ઉમર ૧૮) રહે.બાવા અહેમદશાપીરની દરગાહ પાસે સાયન્ટિફિક રોડ કાલિકા પ્લોટ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News