માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

વાંકાનેરના ચિત્રાખડાનો બનાવ : હોસ્ટેલમાં રહેવુ ન ગમતુ હોય ગળેફાંસો ખાઈ જતા સગીરા સારવારમાં


SHARE













વાંકાનેરના ચિત્રાખડાનો બનાવ : હોસ્ટેલમાં રહેવુ ન ગમતુ હોય ગળેફાંસો ખાઈ જતા સગીરા સારવારમાં

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે રહેતી સગીરવયની યુવતી તેના ઘેર ગળેફાંસો ખાઈ જતા તેણીને સારવાર માટે મોરબી ખસેડવામાં આવી હતી અને બનાવમાં સામે આવ્યું હતું કે તેણીને હોસ્ટેલમાં રહેવા જવું ન હોય અને તે બાબતનું માઠું લાગી આવતા તેણીએ ઉપરોકત પગલું ભર્યું હતું..!

બનાવની જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે રહેતી કિંજલબેન ચતુરભાઈ પ્રભુભાઈ ડાભી નામની ૧૩ વર્ષીય સગીરાએ તેના ઘેર ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને તેણીને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના પ્રદીપભાઈ બોરાણાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખુલ્યુ હતુ કે કિંજલબેનને સાયલા તરફ કોઈ હોસ્ટેલમાં ધોરણ-૯ માં અભ્યાસ માટે બેસાડવામાં આવ્યા હોય પણ તેણીને ત્યાં હોસ્ટેલમાં રહેવું ગમતું ન હોય અને ત્યાં જવુ ન હોય તે બાબતનું મનોમન લાગી આવતા ઉપરોક્ત પગલું ભરી લીધું હતું અને જેથી કરીને તેને સારવારમાં ખસેડાઇ હતી.

વાહન અકસ્માતમાં ઈજા

માળિયા મીંયાણાના કાજરડા ગામે રહેતા કરીમભાઈ દાઉદભાઈ ખલીફા નામનો ૩૪ વર્ષીય યુવાન માળિયા હાઇવે ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે સાંજના ચારેક વાગ્યે લક્ષ્મીનગર ગામ પાસે તેના બાઈક સાથે ગાય અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થતા કરીમભાઈને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબી નજીકના ભરતનગર ગામે રહેતા જગરાજસિંગ લોહારસિંગ નામના ૫૨ વર્ષીય આધેડ સોરીસો સિરામિક પાસે ટ્રકમાંથી નિચે પડી જતા ઈજાઓ થતા સારવારમાં ખસેડાયા હતા.

મારામારીમાં ઈજા

મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા પીન્ટુ કાંતિલાલ બોપલિયા નામના ૨૯ વર્ષીય યુવાનને બેલા નજીક આવેલ ખોખરા હનુમાન મંદિર પાસે મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે હળવદના પલાસણ ગામના રહેવાસી રમેશભાઈ અરજણભાઈ મુંધવા નામના ૨૬ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવ અંગે પ્રાથમિક તપાસ કરીને હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News