ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી સેંટમેરી સ્કુલ પાસેના ફાટકે ૬૩.૮૫ કરોડના ખર્ચ રેલ્વે ઓવરબ્રીજ  મંજુર: બ્રિજેશ મેરજા


SHARE













મોરબી સેંટમેરી સ્કુલ પાસેના ફાટકે ૬૩.૮૫ કરોડના ખર્ચ રેલ્વે ઓવરબ્રીજ  મંજુર: બ્રિજેશ મેરજા

મોરબી નગરપાલિકા અને સ્ટેટ હાઈવે વિસ્તારમાં આવતા રેલ્વે સ્ટેશનની નજીક સેંટ મેરી ફાટક તરીકે ઓળખાતા નવલખી તરફ જતા રસ્તામાં શહેરના રસ્તા ઉપર સતત ટ્રાફિક રહેતો હતો અને વારંવાર આ સેંટમેરી ફાટક રેલ્વે ટ્રાફિકના અવર જવરને કારણે બંધ કરવુ પડતુ હતું. આ સમસ્યા અંગે નગરપાલિકાના હોદ્દેદારોએ અને શહેર સંગઠને  મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા સમક્ષ રજૂઆતો કરેલી હતી

જે અન્વયે મંત્રીએ  ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનમાં  નગરપાલિકા દ્વારા જરૂરી દરખાસ્ત કરાવેલી અને વડોદરાની એજન્સી દ્વારા તેનો  ફિઝીબીલીટી રિપોર્ટ સત્વરે બને  એવું ફોલોઅપ કરાવેલ છે આમ સતત  આ કામને પરિણામ લક્ષી બનાવવા  કરવામાં આવેલી મહેનત લેખે લાગી છે અને પરિણામે સેંટમેરી પાસેના નવલખી તરફ જતા રસ્તામાં  રેલ્વે સ્ટેશન નજીક આવેલ ફાટક એલસી ૩૪બી ઉપર રૂપિયા ૬૩.૮૫ કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજ ટુ લેન્ડને શહેરી વિકાસ ખાતું સંભાળતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મંજૂરી આપેલ છે.

તે બદલ રાજ્ય કક્ષાના મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીના નાગરિકો, નગરપાલિકા અને સંગઠન વતી મુખ્યમંત્રીનો આભાર માન્યો છે. મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારીના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા અને તમામ મહામંત્રીઓએ મોરબીના ધારાસભ્ય  બ્રિજેશ મેરજા દ્વારા મોરબી શહેરની પ્રજાની આ ફાટક બંધ રહેતું હોવાથી થતી મુશ્કેલીઓ નિવારવા તાત્કાલિક રેલવે ઓવરબ્રિજ મંજૂર કરાવલે છે તે બદલ  ખાસ આભાર વ્યકત કરેલ છે






Latest News