મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૩.૧૬ લાખ પાણીના પાત્રોની તપાસ કરી ૬.૫ હજારથી વધુ મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરાયો


SHARE













મોરબી જીલ્લામાં ૩.૧૬ લાખ પાણીના પાત્રોની તપાસ કરી ૬.૫ હજારથી વધુ મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરાયો

સમગ્ર ગુજરાત સાથે મોરબી જિલ્લામાં પણ સર્વત્ર મેઘ મહેર થઈ છે. જિલ્લામાં વરસાદી માહોલ પછી રોગચાળાના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ રોગચાળા અટકાયતની પ્રવૃત્તિઓ હાથ ધરી છે. વરસાદી માહોલમાં માખી-મચ્છર જન્ય રોગો વધારે પ્રમાણમાં ફેલાય છે. મચ્છરના ઉપદ્રવને અટકાવવા માટે મચ્છરના પોરાનાશક કામગીરી અંતર્ગત ૩,૧૬,૯૫૭ પાણીના પાત્રોની તપાસ કરવામાં આવી છે. જે પૈકી ૧,૦૮૦ પાત્રોમાં પોરા જોવા મળતા તેમનો એબેટ પદ્ધતિથી નાશ કરવામાં આવ્યા અને ઘરની બહારના ૫,૫૯૯ મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરાયો છે.

આ સર્વેલન્સ કામગીરી દરમ્યાન ૭૯૪ પાણીના સેમ્પલ લઇ ક્લોરીનની માત્રાની તપાસણી કરવામાં આવી હતી. ઉપરાંત સર્વેલન્સ દરમ્યાન ૩૪ ઝાડાના કેસ મળી આવતા સ્થળ પર સારવાર આપવામાં આવી છે. સર્વે દરમિયાન ૧૬,૦૦૦ ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને હાલ પાણીજન્ય રોગચાળો જેવો કે કોલેરા, મરડો, ટાઈફોઈડ, ઝાડા-ઉલ્ટી, કમળો જેવા રોગ ફેલાવવાની સંભાવનાઓ વધી જાય છે. આ તમામ રોગના અટકાયતી પગલાનાં ભાગરૂપે પાણીમાં કલોરીનેશનનું પ્રમાણ માપવું જરૂરી બની જાય છે. જેથી આરોગય વિભાગ દ્વારા ક્લોરીનનું પ્રમાણ માપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યાં યોગ્ય માત્રામાં ક્લોરીન વાળું પાણી ન જણાય ત્યાં ક્લોરીન ટેબલેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો  છે. આ ઉપરાંત જિલ્લાના કોઈપણ વિસ્તારમાં રોગચાળો જણાય તો તે અંગેના સંદેશાઓની આપ-લે માટે આરોગ્ય વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે. જરૂર પડ્યે જનાતાને વર્ષાઋતુ કંટ્રોલ રૂમના નં. ૦૨૮૨૨-૨૯૯૧૧૭ અથવા ૦૨૮૨૨-૨૯૯૧૧૫ પર સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જે.એમ.કતીરા દ્વારા જણાવાયું છે








Latest News