વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો
SHARE
વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર દ્વારા ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન વાંકાનેરના ગાયત્રી મંદિરે કરવામાં આવ્યું હતું ત્યારે ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગાયત્રી શક્તિપીઠના મહંત પૂજ્ય અશ્વિન બાપુ, વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેરના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.જી.વોરા, વાંકાનેર તાલુકાના નવનિયુક્ત બીઆરસી મયુરસિંહ, મુખ્ય પ્રવક્તા ભરતભાઈ બરાસરા સહિતના હાજર રહ્યા હતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગુરુ વંદના કાર્યક્રમમાં મુખ્ય પ્રવક્તા ભરતભાઈ બરાસરા દ્વારા ગુરુનું સ્થાન, ગુરુનું મહત્વ આજના સમાજમાં કેવું હોવું જોઈએ તેની સચોટ અને પ્રેરણાદાય માહિતી આપી હતી અને હિન્દુ સંસ્કૃતિમાં ગુરુઓનો શું મહિમા હતો અને હાલના સમયમાં શું મહિમા છે.તેનો ભેદ સમજાવ્યો હતી તો ટી.પી.ઓ. ડો.જે.જી.વોરાએ હિન્દુ ધર્મમાં ગુરુ વિશેની વ્યાખ્યા શું છે? તે સમજવ્યું હતું અને મહંત અશ્વિન બાપુએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ તકે અશોકભાઈ સતાસીયા દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહિલા પાંખના અધ્યક્ષ ડૉ. લાભુબેન કારાવદરાનું રાજ્ય લેવલે કાર્યોની નોંધ લેવામાં આવી અને સુરેન્દ્રનગર વિભાગ મહિલા સહ સંગઠન મંત્રી તરીકે વરણી થતા સન્માન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું સફળ સંચાલન હસમુખભાઈ મકવાણાએ કર્યું હતું









