મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો


SHARE











વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર દ્વારા ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન વાંકાનેરના ગાયત્રી મંદિરે કરવામાં આવ્યું હતું ત્યારે ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગાયત્રી શક્તિપીઠના મહંત પૂજ્ય અશ્વિન બાપુવાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેરના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.જી.વોરાવાંકાનેર તાલુકાના નવનિયુક્ત બીઆરસી મયુરસિંહ, મુખ્ય પ્રવક્તા ભરતભાઈ બરાસરા સહિતના હાજર રહ્યા હતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગુરુ વંદના કાર્યક્રમમાં મુખ્ય પ્રવક્તા ભરતભાઈ બરાસરા દ્વારા ગુરુનું સ્થાન, ગુરુનું મહત્વ આજના સમાજમાં કેવું હોવું જોઈએ તેની સચોટ અને પ્રેરણાદાય માહિતી આપી હતી અને હિન્દુ સંસ્કૃતિમાં ગુરુઓનો શું મહિમા હતો અને હાલના સમયમાં શું મહિમા છે.તેનો ભેદ સમજાવ્યો હતી તો ટી.પી.ઓ. ડો.જે.જી.વોરાએ હિન્દુ ધર્મમાં ગુરુ વિશેની વ્યાખ્યા શું છેતે સમજવ્યું હતું અને મહંત અશ્વિન બાપુએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ તકે અશોકભાઈ સતાસીયા દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહિલા પાંખના અધ્યક્ષ ડૉ. લાભુબેન કારાવદરાનું રાજ્ય લેવલે કાર્યોની નોંધ લેવામાં આવી અને સુરેન્દ્રનગર વિભાગ મહિલા સહ સંગઠન મંત્રી તરીકે વરણી થતા સન્માન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું સફળ સંચાલન હસમુખભાઈ મકવાણાએ કર્યું હતું






Latest News