મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપ પરીવાર, સાંસદ, પૂર્વ ધારાસભ્ય તેમજ મહંત દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂજીને શુભેચ્છા પાઠવવામાં આવી


SHARE









મોરબીમાં ભાજપ પરીવાર, સાંસદ, પૂર્વ ધારાસભ્ય તેમજ મહંત દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂજીને શુભેચ્છા પાઠવવામાં આવી

તાજેતરમાં યોજાયેલ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન દેશના ૧૫ માં અને પ્રથમ આદિવાસી મહિલા તરીકે દ્રોપદી મુર્મુજી જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા.જેથી કરીને અહીંના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.તેમજ દ્રોપદીની તરફેણમાં મતદાન કરનાર સર્વેનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ મોરબી માળિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પણ તાજેતરમાં વરણી પામેલ દેશના મહિલા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીનું અભિવાદન કરી તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

તેમજ મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા રાષ્ટ્રપતિ પદે દ્રોપદી મુર્મુજીની વરણી થતા ફટાકડા ફોડીને તેમજ મીઠાઈઓનું વિતરણ કરીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, અરવિંદભાઇ વાંસદડીયા, જ્યોતિસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, કે.કે.પરમાર, દેવાભાઈ અવાડીયા, પ્રભુભાઈ પનારા, નિર્મલભાઇ જારીયા, નરેન્દ્રભાઇ પોપટ, જેઠાભાઈ પારઘી, રાકેશભાઇ કાવર સહિતના અહીંના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સુપર માર્કેટ સામે ફટાકડા ફોડી, મીઠાઇ વડે એકમેકના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમના મહંત પુ.ભાવેશ્વરીબેન દ્વારા પણ મહિલા શક્તિનું બહુમાન થવાથી રાષ્ટ્રપતિ બનેલા દ્રોપદી મુર્મુજીને શુભેચ્છાઓ પાઠવીને તેઓ ખૂબ ખૂબ સફળતા પ્રાપ્ત કરે અને દેશને નયા ભારત તરફ આગળ દોરી જાય તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.






Latest News