મોરબીના ખરેડા ગામમાં લાઈફ સંસ્થા દ્વારા ૧૦૬ મી શાળાનો વર્ચ્યુઅલ શિલાન્યાસકાર્યક્રમ યોજાયો
મોરબીના જાંબુડિયા પાસે યુવાન ઉપર હુમલો કરનારા ખનીજ માફિયાઓ સામે પગલાં લેવા સમાજની માંગ
SHARE
મોરબીના જાંબુડિયા પાસે યુવાન ઉપર હુમલો કરનારા ખનીજ માફિયાઓ સામે પગલાં લેવા સમાજની માંગ
મોરબીના જાંબુડિયા ગામાં પાસે થોડા દિવસો પહેલા ખાણીજચોરીની અરજી કરનારા યુવાનને માર મરવામાં આવ્યો હતો જેથી મોરબી જિલ્લા અનુસીચિત જાતિના લોકોએ કલેકટર મારફત રાજ્યપાલને આવેદન આપ્યું હતુ અને મોરબી જિલ્લામાં ખનીજ ચોરોની સામે આકરા પગલાં લેવમાં આવે તેવી માંગ કરવામાં આવી છે
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે તો પણ અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી અને જો કે, ખનીજચોરીની સામે અવાજ ઉઠાવે તો તેના ઉપર હુમલા કરવામાં આવે છે આવો જ બનાવ જાંબુડિયા ગામે બન્યો હતો જેના ઘેરા પ્રત્યાઘાતો સમાજમાં પડ્યા છે અને મોરબી જિલ્લા અનુસીચિત જાતિના લોકોએ કલેકટર મારફત રાજ્યપાલને આવેદન આપ્યું છે જેમાં લખ્યું છે કે, અગાઉ ખનીજચોરીની અરજી કરનારા યુવાન કમલેશભાઈ ખરા ઉપર તાજેતરમાં ખનીજચોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવની તટસ્થ તપાસ કરી હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે









