મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે “બર્ફીલાબાબા અમરનાથ બરફના શિવલીંગ” ના દર્શન યોજાશે


SHARE

















મોરબી જલારામ મંદિરે “બર્ફીલાબાબા અમરનાથ બરફના શિવલીંગ” ના દર્શન યોજાશે

પવિત્ર શ્રાવણમાસ દરમિયાન સમગ્ર વિશ્વના વિવિધ શિવમંદીરોમા દેવાધિદેવ મહાદેવની આરાધના થઈ રહી છે. ત્યારે શ્રાવણ માસના સોમવારનો મહીમા અનેરો હોય છે. શ્રાવણ માસના સોમવાર દરમિયાન વિવિધ શિવમંદીરોમા ભક્તજનો માટે સવિશેષ આયોજન થતા હોય છે ત્યારે આવકી કાલે સોમવાર તા. ૧૬-૮ ના રોજ મોરબી જલારામ મંદિરે આવેલા જલિયાણેશ્વર મહાદેવ ખાતે બર્ફીલા બાબા અમરનાથ બરફના શિવલીંગના દર્શનનુ ભક્તજનો માટે આયોજન કરવામા આવેલ છે. દર્શન સાંજના ૫ થી ૯ કલાક દરમિયાન ખુલ્લા રહેશે. મોરબીની ધર્મપ્રેમી જનતાને શિવલીંગના દર્શન તેમજ શિવજીની આરાધના માટે પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે તેમ સંસ્થાના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી, હીતેશભાઈ જાની, અનિલભાઈ સોમૈયા, નિર્મિત કક્કડે યાદીમા જણાવ્યુ છે.




Latest News