મોરબીમાં બાઈક સાથે બાઈક અથડાવી દંપતીને માર મારનાર ચારની શોધખોળ
મોરબી જલારામ મંદિરે “બર્ફીલાબાબા અમરનાથ બરફના શિવલીંગ” ના દર્શન યોજાશે
SHARE









મોરબી જલારામ મંદિરે “બર્ફીલાબાબા અમરનાથ બરફના શિવલીંગ” ના દર્શન યોજાશે
પવિત્ર શ્રાવણમાસ દરમિયાન સમગ્ર વિશ્વના વિવિધ શિવમંદીરોમા દેવાધિદેવ મહાદેવની આરાધના થઈ રહી છે. ત્યારે શ્રાવણ માસના સોમવારનો મહીમા અનેરો હોય છે. શ્રાવણ માસના સોમવાર દરમિયાન વિવિધ શિવમંદીરોમા ભક્તજનો માટે સવિશેષ આયોજન થતા હોય છે ત્યારે આવકી કાલે સોમવાર તા. ૧૬-૮ ના રોજ મોરબી જલારામ મંદિરે આવેલા જલિયાણેશ્વર મહાદેવ ખાતે બર્ફીલા બાબા અમરનાથ બરફના શિવલીંગના દર્શનનુ ભક્તજનો માટે આયોજન કરવામા આવેલ છે. દર્શન સાંજના ૫ થી ૯ કલાક દરમિયાન ખુલ્લા રહેશે. મોરબીની ધર્મપ્રેમી જનતાને શિવલીંગના દર્શન તેમજ શિવજીની આરાધના માટે પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે તેમ સંસ્થાના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી, હીતેશભાઈ જાની, અનિલભાઈ સોમૈયા, નિર્મિત કક્કડે યાદીમા જણાવ્યુ છે.
