મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ શ્રીરામ સોસાયટીમાંથી યુવાન ગુમ


SHARE









મોરબીના આલાપ રોડ ઉપર આવેલ શ્રીરામ સોસાયટીમાંથી યુવાન ગુમ

મોરબી શહેરના આલાપ રોડ ઉપર આવેલ શ્રીરામ સોસાયટીમાંથી યુવાન ગુમ થઈ ગયો છે.જેથી કરીને હાલમાં ગુમ થયેલ યુવાનની પત્નીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ગુમ થયા હોવા અંગેની ગુમ સુધા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમ થયેલા યુવાને શોધવા માટે તેને કવાયત શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના આલાપ રોડ ઉપર આવેલ શ્રી રામ સોસાયટીમાં રહેતા મૂળ નેપાળના રહેવાસી સીતાબેન બલગોપાલ ધુન્કેલ (ઉંમર ૩૩) એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓના પતિ બલગોપાલ ધૂન્કેલ (ઉંમર ૩૩) રહે.હાલ આલાપ રોડ શ્રીરામ સોસાયટી મૂળ રહે.વિવસ્તીનગર તા.ધનગડી જી.કૈલાલી નેપાળ વાળો ગત તા.૨૦-૭ ના વહેલી સવારે ચાર વાગ્યાથી ગુમ થઈ ગયા હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીએ જણાવ્યુ છે કે, તેઓના પતિ કોઈ કારણોસર તેઓના ઘરેથી કોઈને કશું કહ્યા વગર વહેલી સવારે ચારેક વાગ્યે નીકળી ગયા છે અને ત્યારબાદ તે ગુમ થઈ ગયેલ છે જેથી કરીને પરણીતાએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદના આધારે પોલીસે હાલમાં ગુમ થયેલા યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદના વિનોબા ગ્રાઉન્ડ પાસે રહેતી આશાબેન લાલાભાઇ માંગકીયા નામની આઠ વર્ષની બાળકીને અજાણ્યા બાઇક ચાલાકે ટક્કર મારતા જમણા હાથે ફેક્ચર જેવી ઇજાઓ થવાથી તેણીને સારવાર માટે મોરબી ખસેડવામાં આવી હતી.જ્યારે માળિયા મીંયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા સંજયભાઈ ઉગાભાઇ ચાવડા નામના ૩૨ વર્ષના યુવાને તેના ઘેર કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે પોલીસે નોંધ કરીને કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.તેમજ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા દાઉદભાઈ ઇબ્રાહીમભાઇ નામના ૫૫ વર્ષીય આધેડને શહેરના ગાંધીચોક વિસ્તારમાં કોઈ બાબતે ઝઘડો થયા બાદ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા તેઓને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા






Latest News