મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ શ્રીરામ સોસાયટીમાંથી યુવાન ગુમ


SHARE













મોરબીના આલાપ રોડ ઉપર આવેલ શ્રીરામ સોસાયટીમાંથી યુવાન ગુમ

મોરબી શહેરના આલાપ રોડ ઉપર આવેલ શ્રીરામ સોસાયટીમાંથી યુવાન ગુમ થઈ ગયો છે.જેથી કરીને હાલમાં ગુમ થયેલ યુવાનની પત્નીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ગુમ થયા હોવા અંગેની ગુમ સુધા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમ થયેલા યુવાને શોધવા માટે તેને કવાયત શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના આલાપ રોડ ઉપર આવેલ શ્રી રામ સોસાયટીમાં રહેતા મૂળ નેપાળના રહેવાસી સીતાબેન બલગોપાલ ધુન્કેલ (ઉંમર ૩૩) એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓના પતિ બલગોપાલ ધૂન્કેલ (ઉંમર ૩૩) રહે.હાલ આલાપ રોડ શ્રીરામ સોસાયટી મૂળ રહે.વિવસ્તીનગર તા.ધનગડી જી.કૈલાલી નેપાળ વાળો ગત તા.૨૦-૭ ના વહેલી સવારે ચાર વાગ્યાથી ગુમ થઈ ગયા હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીએ જણાવ્યુ છે કે, તેઓના પતિ કોઈ કારણોસર તેઓના ઘરેથી કોઈને કશું કહ્યા વગર વહેલી સવારે ચારેક વાગ્યે નીકળી ગયા છે અને ત્યારબાદ તે ગુમ થઈ ગયેલ છે જેથી કરીને પરણીતાએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદના આધારે પોલીસે હાલમાં ગુમ થયેલા યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદના વિનોબા ગ્રાઉન્ડ પાસે રહેતી આશાબેન લાલાભાઇ માંગકીયા નામની આઠ વર્ષની બાળકીને અજાણ્યા બાઇક ચાલાકે ટક્કર મારતા જમણા હાથે ફેક્ચર જેવી ઇજાઓ થવાથી તેણીને સારવાર માટે મોરબી ખસેડવામાં આવી હતી.જ્યારે માળિયા મીંયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા સંજયભાઈ ઉગાભાઇ ચાવડા નામના ૩૨ વર્ષના યુવાને તેના ઘેર કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે પોલીસે નોંધ કરીને કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.તેમજ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા દાઉદભાઈ ઇબ્રાહીમભાઇ નામના ૫૫ વર્ષીય આધેડને શહેરના ગાંધીચોક વિસ્તારમાં કોઈ બાબતે ઝઘડો થયા બાદ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા તેઓને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા






Latest News