મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે યુવાનનું મોત


SHARE















મોરબીના નાનીવાવડી ગામે યુવાનનું મોત

મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા અને મજૂરી કામ કરતા યુવાનનું મોત નીપજતા તેના મૃતદેહને પીએમ માટે સિવિલે લાવવામાં આવ્યો હતો જેથી કરીને તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નાની વાવડી ગામે રહેતા ગોપાલ મંગીલાલ હરવલ્લી (ઉમર ૩૨) નામના પરિણીત યુવાનનું મોત નીપજતા તેના ડેડબોડીને અહિંની સિવિલ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.ઝેરી દવા પી લેવાથી અથવા તો બીમારી સબબ મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન કરીને હાલ વિશેરા લઈને મોતનો ખરું કારણ જાણવા માટે તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં

મધ્યપ્રદેશના ઇન્દોરમાં રહેતા અને હાલ કામ સબબ મોરબી આવેલ ગુમાનસિંગ દિત્યાસિંગ વિરાલા નામના ૫૫ વર્ષીય આધેડ માળીયા હાઇવે ઉપર અમરનગર ગામ પાસે આવેલ લિયોલી સીરામીક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જેથી બનાવ અંગે હાલમાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આગળની તપાસ કરવામાં આવી છે.જ્યારે માળીયા હાઇવે ઉપર આવેલ રોટરીનગર ગામે રહેતા બધીબેન ભલાભાઇ ભંખોડીયા નામના ૬૯ વર્ષીય આધેડ મહિલા પુત્રના બાઈકની પાછળ બેસીને જતા હતા ત્યારે માળીયા હાઈવે ઉપર તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓ થવાથી તેઓને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.જે અંગે હાલમાં તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News