મોરબીમાં રાજપુત સમાજ આયોજીત સરસ્વતી સન્માન સમારોહમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને મંત્રી સહિતનાઓના હસ્તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા
SHARE
મોરબીમાં રાજપુત સમાજ આયોજીત સરસ્વતી સન્માન સમારોહમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને મંત્રી સહિતનાઓના હસ્તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા
મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો.આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, પ્રાથમિક, માઘ્યમિક તેમજ પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલા, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઉપરાંત રાજપુત સમાજના અગ્રણીઓના હસ્તે ધોરણ પાંચથી અનુસ્નાતક તેમજ પીએચડી લેવલ સુધી શ્રેષ્ઠ પ્રદર્શન દાખવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અને હજુ વધુ આગળ વધી સમાજ તેમજ દેશનું નામ રોશન કરવા શુભેચ્છાઓ પાઠવવામાં હતી.આ કાર્યક્રમમાં મુન્દ્રા-માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાયત્રીબા વાઘેલા, પૂર્વનાયબ સચિવ અશોકસિંહ પરમાર, મોરબી રાજપુત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, હળવદ પ્રાંત અધિકારી મહાવીરસિંહ ઝાલા, ચેરિટી કમિશનર પૃથ્વીસિંહ જાડેજા, જિલ્લા નિરીક્ષક પી.એમ.જાડેજા, મોરબી નગરપાલીકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તેમજ રાજપુત સમાજના અગ્રણીઓ જયુભા જાડેજા (જયદીપ કંપની), પાલીકા ઉપપ્રમુખ જયરાજસિંહ, મહેન્દ્રસિંહ (ક્રિષ્ના ટ્રાવેલ્સ), દશુભા ઝાલા (શકિત વંદના), નરેન્દ્રસિંહસ(પંચાસર), મહેન્દ્રસિંહ (રંગપર), મેઘરાજસિંહ(શકિત મેડીકલ), જયવંતસિંહ વિદ્યાર્થીઓ તેમજ વાલીગણ અને મોરબી જિલ્લાના રાજપુત સમાજના ભાઇ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.