ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના જોધપર પાસે જાહેરમાં ફેંકી દેવામાં આવેલ ૧૦૦ થી વધુ ગૌવંશના મૃતદેહોને કુતરાઓએ ફાડી ખાધા: લોકોમાં અરેરાટી


SHARE













મોરબીના જોધપર પાસે જાહેરમાં ફેંકી દેવામાં આવેલ ૧૦૦ થી વધુ ગૌવંશના મૃતદેહોને કુતરાઓએ ફાડી ખાધા: લોકોએ અરેરાટી

મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ પટેલ બોર્ડિંગની પાછળના ભાગમાં જાહેરમાં ગૌવંશોના મૃતદેહને રજડતી હાલતમાં ફેકવામાં આવી રહ્યા છે જેથી સામાન્ય લોકોને પણ અરેરાટી છૂટી જાય તેવા દ્રશ્યો ત્યાં જોવા મળી રહે છે હાલમાં એક બાજુ લંપી વાયરસના કારણે ગૌવંશોના ટપો ટપી મોત થઈ રહ્યા છે તેવા સમયે મોરબી નજીકના જોધપર ગામ પાસે એકી સાથે અંદાજે ૧૦૦ કરતાં વધુના ગૌવંશોના મૃતદેહ રજડતી હાલતમાં પડ્યા છે જેને કુતરા ફાડી ખાતા હોય માનવ મૃત્યુનો મલાજો પણ ગૌમાતા માટે ન જળવાતો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

મોરબી સહિત ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર લંપી વાયરસના કારણે ગાય અને ગૌવંશોના મૃત્યુના બનાવો સામે આવી રહ્યા છે અને અનેક ગૌવંશોના મૃત્યુ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો સરકારી ચોપડે નોંધાયેલ ગૌવંસોના મૃત્યુના આંકડા ઉપર નજર કરીએ તો લગભગ ૮૦ જેટલા ગૌવંશોના મૃત્યુ સમગ્ર મોરબી જિલ્લામાં નોંધાય છે તેવું મોરબી જિલ્લાના પશુપાલન વિભાગના અધિકારી જણાવી રહ્યા છે જોકે બીજી બાજુની વાત કરીએ તો મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ પટેલ બોર્ડિંગની પાછળના ભાગમાં ઢાળ ઉપર જે ડમ્પિંગ પશુઓના મૃતદેહના નિકાલ માટે બનાવવામાં આવી છે ત્યાં અંદાજે ૧૦૦ થી વધુ ગૌવંશોના મૃતદેહ પડ્યા છે અને તે છેલ્લા દિવસોમાં લંપી વાયરસ કે અન્ય કોઈપણ કારણોસર મૃત્યુ પામેલા ગૌવંશોના જ મૃતદેહ હોય તેવું જોવા જાણવા મળી રહ્યું છે.

જેથી કરીને એકી સાથે લગભગ ૧૦૦ જેટલા ગૌવંતોને રજડતી હાલતમાં મૃત અવસ્થામાં ફેંકી દેવામાં આવ્યા હોવાથી શિકારી કુતરા સહિતના જાનવરો તેને ફાડી ખાતા હોય ત્યારે સામાન્ય લોકોને પણ અરેરાટી છૂટે તેવા દ્રશ્યો ત્યાં જોવા મળી રહ્યા છે અને ત્યારે આવી રીતે રજડતી હાલતમાં મૃતદેહનો નિકાલ કરવામાં આવતા ગૌવંશોના મૃત્યુનો મલાજો પણ ન જળવાતો હોય તેવો ઘાટ સર્જાયો છે જેથી આ મૃતદેહનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તે જરૂરી છે કારણ કે લંપી વાયરસની સાથો સાથ અન્ય રોગચાળો અને બીમારી પણ આવી રીતે આડેધડ ગૌવંશોના મૃતદેહનો નિકાલ કરવાના કારણે ફેલાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી હવે જોવું એ રહેશે કે જવાબદાર અધિકારીઓ અને તંત્ર ક્યારે હરકતમાં આવે છે.  #lampi #Gow #morbitoday #smogujrat #harssangvi #kamlam #crpatil #narendramodi #congres






Latest News