ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

ગુજરાતમાં કૃત્રિમ દારૂબંધી છે !, લઠ્ઠાકાંડ માટે સરકાર જ જવાબદાર: શંકરસિંહ વાઘેલા


SHARE













ગુજરાતમાં કૃત્રિમ દારૂબંધી છે !, લઠ્ઠાકાંડ માટે સરકાર જ જવાબદાર: શંકરસિંહ વાઘેલા

મોરબીમાં સામાજીક કાર્યક્રમમાં ગુજરાતનાં માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આવ્યા હતા ત્યારે તેની સાથે વાત કરતાં તેઓએ તાજેતરમાં થયેલા લઠ્ઠાકાંડ મુદદે સરકારને સીધી જ જવાબદાર ઠેરવી હતી અને કહ્યું હતું કે, ગુજરાતમાં કૃત્રિમ દારૂબંધી છે જેથી તે ભષ્ટાચારનો ભોરિંગ બની ગયેલ છે અને પોલિટિકલ બેગ્રાઉંડ હોય તે જ અધિકારી હપ્તારાજમાં જીવતા હોય છે.

મોરબીમાં યોજાયેલ એક સામાજીક કાર્યક્રમમાં માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિતના આગેવાનો આવ્યા હતા ત્યારે બાદ શંકરસિંહ વાઘેલા સાથે વાત કરતાં તેઓએ સરકાર ઉપર નિશાન ટાંક્યુ હતું અને કહ્યું હતું કે, તાજેતરમાં થયેલ લઠ્ઠાકાંડ માટે સરકાર સીધી જ જવાબદાર છે અને ગુજરાતમાં જે અધિકારોને પોલિટિકલ બેગ્રાઉન્ડ હોય તે જ અધિકારીઓ આ હપ્તાશાહીમાં જીવતા હોય છે અને લઠ્ઠાકાંડ પછી માત્ર અધિકારીઓની બદલી કરવી તે કોઈ વિકલ્પ નથી અને "લઠ્ઠાકાંડમાં અધિકારીઓનો નહીં પરંતુ તે અધિકારોના માલિકોનો વાંક છે" અને કોઈપણ વિસ્તારમાં હલકી કક્ષાનો દારૂ પીને કોઈ મરી જાય તો તે લોકોના બાપનું શું જાય છે..? આજની તારીખે દિવ, દમણ, ઉદેપુર, મુંબઇમાં દારૂ મળે છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી કૃત્રિમ છે અને તે ભ્રષ્ટાચારનો ભોરિંગ બની ગયેલ છે.






Latest News