મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે
Breaking news
Morbi Today

મોરબીના નહેરૂ ગેઇટ ટાવર ઉપરથી પોપડા પડતાં લોકો માટે જોખમી


SHARE















મોરબીના નહેરૂ ગેઇટ ટાવર ઉપરથી પોપડા પડતાં લોકો માટે જોખમી

મોરબીની શાન ગણાતો નહેરૂગેઇટ ટાવર ઉપરથી થોડા દિવસો પહેલા પોપડું પડ્યું હતું અને ટાવર જર્જરીત હોવાથી લોકો માટે જોખમી બને તેમ છે જેથી કરીને કોઈના જીવ ઉપર જોખમ ઉભું ન થાય તે માટે જરૂરી સમારકામ કરવા માટે મોરબીના સામાજીક કાર્યકરોએ રજૂઆત કરેલ છે

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ જી. બાંભણીયા, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચ, જીજ્ઞેશભાઇ પંડયાએ ચીફ ઓફિસર અને કલેકટર લેખિત રજુઆત કરી છે કે, નહેરૂ ગેઇટ ટાવર ઉપરથી પોપડુ પડ્યું હતું જેમાં એક મહિલાને ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં ખસેડવામા આવી હતી અને આગામી દિવસોમાં જો આવી જ રીતે જર્જરીત ટાવરમાંથી પોપડા પડે તો કોઈનો જીવ જવાની દશેત છે જેથી કરીને યોગયા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને દેશ વિદેશમાં વખણાતા મોરબીની આન બાન શાન સમા નહેરૂ ગેઇટ હાલમાં ખંઢેર છે તેનું રીપેરીંગ કરવું અનિવાર્ય છે






Latest News