રાજ્યમંત્રીના હસ્તે મોરબી જિલ્લાના લિઓલી કંપનીએ પીએચસીમાં ૨૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અપાયા
મોરબીના નહેરૂ ગેઇટ ટાવર ઉપરથી પોપડા પડતાં લોકો માટે જોખમી
SHARE
મોરબીના નહેરૂ ગેઇટ ટાવર ઉપરથી પોપડા પડતાં લોકો માટે જોખમી
મોરબીની શાન ગણાતો નહેરૂગેઇટ ટાવર ઉપરથી થોડા દિવસો પહેલા પોપડું પડ્યું હતું અને ટાવર જર્જરીત હોવાથી લોકો માટે જોખમી બને તેમ છે જેથી કરીને કોઈના જીવ ઉપર જોખમ ઉભું ન થાય તે માટે જરૂરી સમારકામ કરવા માટે મોરબીના સામાજીક કાર્યકરોએ રજૂઆત કરેલ છે
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ જી. બાંભણીયા, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચ, જીજ્ઞેશભાઇ પંડયાએ ચીફ ઓફિસર અને કલેકટર લેખિત રજુઆત કરી છે કે, નહેરૂ ગેઇટ ટાવર ઉપરથી પોપડુ પડ્યું હતું જેમાં એક મહિલાને ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં ખસેડવામા આવી હતી અને આગામી દિવસોમાં જો આવી જ રીતે જર્જરીત ટાવરમાંથી પોપડા પડે તો કોઈનો જીવ જવાની દશેત છે જેથી કરીને યોગયા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને દેશ વિદેશમાં વખણાતા મોરબીની આન બાન શાન સમા નહેરૂ ગેઇટ હાલમાં ખંઢેર છે તેનું રીપેરીંગ કરવું અનિવાર્ય છે









