મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીના નહેરૂ ગેઇટ ટાવર ઉપરથી પોપડા પડતાં લોકો માટે જોખમી


SHARE













મોરબીના નહેરૂ ગેઇટ ટાવર ઉપરથી પોપડા પડતાં લોકો માટે જોખમી

મોરબીની શાન ગણાતો નહેરૂગેઇટ ટાવર ઉપરથી થોડા દિવસો પહેલા પોપડું પડ્યું હતું અને ટાવર જર્જરીત હોવાથી લોકો માટે જોખમી બને તેમ છે જેથી કરીને કોઈના જીવ ઉપર જોખમ ઉભું ન થાય તે માટે જરૂરી સમારકામ કરવા માટે મોરબીના સામાજીક કાર્યકરોએ રજૂઆત કરેલ છે

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ જી. બાંભણીયા, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચ, જીજ્ઞેશભાઇ પંડયાએ ચીફ ઓફિસર અને કલેકટર લેખિત રજુઆત કરી છે કે, નહેરૂ ગેઇટ ટાવર ઉપરથી પોપડુ પડ્યું હતું જેમાં એક મહિલાને ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં ખસેડવામા આવી હતી અને આગામી દિવસોમાં જો આવી જ રીતે જર્જરીત ટાવરમાંથી પોપડા પડે તો કોઈનો જીવ જવાની દશેત છે જેથી કરીને યોગયા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને દેશ વિદેશમાં વખણાતા મોરબીની આન બાન શાન સમા નહેરૂ ગેઇટ હાલમાં ખંઢેર છે તેનું રીપેરીંગ કરવું અનિવાર્ય છે






Latest News