ટંકારાના વિરપર ગામે સ્મશાનમાં ઓમ પ્રાર્થના હોલના દાતા અને સેવા આપનારના સન્માન કરાયા
મોરબીમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારની પ્રેરણાદાયી ઉજવણી
SHARE
મોરબીમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારની પ્રેરણાદાયી ઉજવણી
મોરબીમાં દરેક તહેવારોની પ્રેરણાત્મક રીતે ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિતે ભગવાન શિવ રાજી થાય તેવું સેવાકાર્ય કરવામાં આવ્યુ હતું. જેમાં ઝૂંપટપટ્ટીના જરૂરીયાતમંગ પરિવારોના બાળકો સહિત ૧૫૦૦ જેટલા લોકોને દૂધપાક-પુરીભાજીનું ભોજન કરાવીને તેમની જઠરાગ્નિ તૃપ્ત કરીને જીવ રાજી તો શિવ રાજીનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો હતો.ઇન્ડિયા ગ્રુપે દૂધપાક બનાવીને પુરીભાજીનું શહેરની ઝૂંપટપટ્ટી વિસ્તારના બાળકો સહિત ૧૫૦૦ લોકોને ભરપેટ ભોજન કરાવીને જઠરાગ્નિ તૃપ્ત કરી હતી.આ તકે યંગ ઇન્ડિયા ગુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, અમે કંઇ મોટું કામ કર્યું નથી.આપણા જ ગામમાં રહેતા અને પોષણક્ષમ આહારથી વંચિત એવા બાળકોને ભોજન કરાવી તેમની જઠરાગ્નિ ઠારવાનો આ એક નાનકડો પ્રયાસ છે.